Noida આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 15 જૂને પ્રથમ ઉડાન ભરાશે, જાણો ઉદ્ઘાટન ફ્લાઈટોનું શેડ્યુલ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઝડપથી વિકસતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ એક મોટી સિદ્ધિ મળવા જઈ રહી છે. રાજ્યની મહત્ત્વાકાંક્ષી યોજના નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 15 જૂનથી વ્યાવસાયિક ફ્લાઈટ સેવાઓનો સત્તાવાર પ્રારંભ થશે. આ ઐતિહાસિક પ્રસંગે ઈન્ડિગો એરલાઈન્સ પ્રથમ લોન્ચ કેરિયર તરીકે ઉદ્ઘાટન ફ્લાઈટ્સનું સંચાલન કરશે.

ઉદ્ઘાટન ફ્લાઇટ્સનું સમયપત્રક
જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ પ્રથમ ઉદ્ઘાટન ફ્લાઈટ 6E-2278 સવારે 7:05 વાગ્યે લખનઉંથી ઉડાન ભરી સવારે 8:05 વાગ્યે નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ આ જ વિમાન સવારે 8:35 વાગ્યે નોઈડાથી બેંગલુરૂ માટે રવાના થશે અને 11:05 વાગ્યે ત્યાં પહોંચશે. વાપસી દરમિયાન ફ્લાઇટ 6E-2279 બપોરે 3:45 વાગ્યે બેંગલુરુથી ઉડાન ભરી સાંજે 6:20 વાગ્યે નોઈડા પહોંચશે. ત્યારબાદ સાંજે 6:55 વાગ્યે નોઈડાથી લખનૌ માટે રવાના થઈ રાત્રે 8:00 વાગ્યે પહોંચશે.

ઉત્તર પ્રદેશ માટે નવું એવિએશન હબ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કલ્પના મુજબ વિકસાવવામાં આવેલ નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર અને આસપાસના રાજ્યો માટે મહત્વપૂર્ણ એવિએશન અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી આવશે. ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે આગામી તબક્કામાં આ એરપોર્ટને દેશના 16થી વધુ મુખ્ય શહેરો સાથે જોડવામાં આવશે.

ઉત્તર પ્રદેશની નવી ઓળખ બનશે જેવર એરપોર્ટ
જેવર એરપોર્ટ માત્ર એક એરપોર્ટ નથી, પરંતુ ઉત્તર પ્રદેશના બદલાતા આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું પ્રતિક માનવામાં આવે છે. એક્સપ્રેસ-વે, મેટ્રો, ડિફેન્સ કોરિડોર, ડેટા સેન્ટર અને ઔદ્યોગિક રોકાણોની શ્રેણીમાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે. આ એરપોર્ટ રાજ્યને દેશના અગ્રણી એવિએશન, વેપાર અને લોજિસ્ટિક્સ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને પ્રદેશના આર્થિક વિકાસને નવી ગતિ આપશે.

 

 

 

  • Related Posts

    NEET આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો રોડમેપ, દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત

    NEET પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે પોતાના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પાર્ટીએ દેશભરમાં યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાનારી બે દિવસીય વ્યૂહાત્મક બેઠક પહેલાં જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આગામી સમયમાં યુવાનોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે અને દેશના વિવિધ રાજ્યોમાં જઈને યુવાનોના વિચારો, અપેક્ષાઓ અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. બે દિવસીય વ્યૂહાત્મક બેઠકમાં બનશે ભવિષ્યની રણનીતિ આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટી બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, મુખ્ય પ્રવક્તાઓ તેમજ સંગઠનાત્મક નેતાઓ ભાગ…

    સંસદમાં હોબાળા વચ્ચે સરકારે પસાર કર્યા અનેક મહત્વપૂર્ણ બિલ, FCRA સુધારા વિધેયક પર સૌની નજર

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સતત હોબાળા અને વિરોધ વચ્ચે પણ કેન્દ્ર સરકાર પોતાના વિધાયી એજન્ડાને ઝડપથી આગળ ધપાવી રહી છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના વિરોધ છતાં સરકારે અત્યાર સુધી અનેક મહત્વપૂર્ણ વિધેયકો પસાર કરાવવામાં સફળતા મેળવી છે. નોંધનીય છે કે આમાંથી મોટાભાગના વિધેયકો પર વિસ્તૃત ચર્ચા થઈ શકી નથી અને ગૃહમાં હંગામા વચ્ચે જ તેમને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારનું આગામી લક્ષ્ય વિદેશી ફાળો નિયમન કાયદા (FCRA)માં સુધારા માટેનું વિધેયક માનવામાં આવી રહ્યું છે. સતત હોબાળાથી પ્રભાવિત થઈ રહી છે સંસદની કાર્યવાહી ચોમાસુ સત્રના શરૂઆતના દિવસથી જ સંસદના બંને ગૃહોમાં વિપક્ષ વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. વિપક્ષ દ્વારા સતત વિરોધ અને સૂત્રોચ્ચાર થતાં પ્રશ્નકાળ તથા શૂન્યકાળની કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી…