દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિનો નવો અધ્યાય! PM મોદી ૫ જૂને રચશે નવો ઇતિહાસ

ગુજરાતના વિકાસ રથને વધુ વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૫ જૂન, ૨૦૨૬ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સુરત ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે કુલ ₹૧૮,૭૭૭ કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને દક્ષિણ ગુજરાતને મોટી ભેટ આપશે.

આ મહા-વિકાસકાર્યોમાં સૌથી મહત્વનો હિસ્સો GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) હેઠળ તૈયાર થયેલા ₹૧૦૬૩.૪૩ કરોડના ૮ મેગા પ્રોજેક્ટ્સનો છે, જેનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ અંતર્ગત ભરૂચ જિલ્લાને ₹૮૯૪ કરોડથી વધુના અને વલસાડ જિલ્લાને ₹૧૬૯.૩ કરોડના પ્રોજેક્ટ્સ મળવા જઈ રહ્યા છે.

  • દહેજ PCPIR એફ્લુઅન્ટ પાઇપલાઇન (₹૪૭૪.૬૧ કરોડ): દહેજ અને સાયખા ઔદ્યોગિક વિસ્તારમાં પ્રદૂષિત પાણીના યોગ્ય નિકાલ માટે ૯૦ MLD ક્ષમતાની અત્યાધુનિક ઑફશોર અને ઑનશોર એફ્લુઅન્ટ પાઇપલાઇન શરૂ કરાશે, જે PLC SCADA સિસ્ટમથી સજ્જ છે.

  • જંબુસર બલ્ક ડ્રગ પાર્ક (₹૨૭૪.૯૬ કરોડ): ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોના વિકાસને નવી પાંખો આપવા માટે અહીં રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી આંતરમાળખાકીય સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.

  • દહેજ-૨ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન: સુવા પમ્પિંગ સ્ટેશનથી અંતિમ સ્ટેશન સુધી ૩૦ MLD ક્ષમતાનું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરાશે, જે ડ્રેનેજ વ્યવસ્થાપનને વધુ કાર્યક્ષમ બનાવશે.

  • પાનોલી અને અંકલેશ્વરનો વિકાસ: પાનોલી વિસ્તરણમાં ફ્લેક્સિબલ રોડ પેવમેન્ટ, પાણી પુરવઠા નેટવર્ક અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ તેમજ અંકલેશ્વરમાં એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન માટે ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ થશે.

  • દહેજ-૧ નેચરલ ડ્રેઇન-૨ અપગ્રેડેશન: ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને મજબૂત કરવા આ કામગીરી કરાઈ છે.

  • CETP પ્લાન્ટનું અપગ્રેડેશન: સરીગામ સ્થિત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ની ક્ષમતા ૧૫ MLDથી વધારીને ૨૫ MLD કરવામાં આવી છે, જેથી પર્યાવરણના નિયમોનું કડક પાલન થઈ શકે.

  • આઉટફૉલ પાઇપલાઇન પ્રોજેક્ટ: સરીગામ વસાહતમાં સમ્પ અને પમ્પિંગ સ્ટેશન સાથે નવી HDPE ઑનશોર અને ઑફશોર આઉટફૉલ પાઇપલાઇન નેટવર્ક કાર્યરત થશે, જે ઊંડા સમુદ્રમાં સુરક્ષિત નિકાલ સુનિશ્ચિત કરશે.

  • Related Posts

    2026 પંજાબ ભાજપ અકાલી દળ ગઠબંધન : ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી થશે? પીએમ મોદી અને સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ

    પીએમ નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ-અકાલી દળના ગઠબંધનને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. જાણો સમગ્ર ઘટનાક્રમ અને તેની રાજકીય અસર. ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી શરૂ થશે? પીએમ મોદી-સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ પંજાબના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારની અટકળો તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળ (SAD)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ અને અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. બંને પક્ષ તરફથી આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર રાજકીય જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. એક સમય…

    6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનતથી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળા 2026 Exquisite Art.

    ₹6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનત પછી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળાનો અજોડ નમૂનો પટોળું  ગુજરાતના વિશ્વવિખ્યાત પાટણના પટોળાની બનાવટ, કિંમત, કારીગરોની મહેનત અને તેની વૈશ્વિક ઓળખ વિશે જાણો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ પટોળું ભેટમાં આપ્યું હતું. ગુજરાતની ધરતી પર જન્મેલી અનેક પરંપરાગત કલાઓમાં પાટણનું પટોળું (Patan Patola) વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેની અદભૂત ડિઝાઇન, સૂક્ષ્મ કારીગરી અને અનોખી વણાટ પદ્ધતિને કારણે પટોળું માત્ર એક સાડી નથી, પરંતુ ભારતીય હસ્તકળાનું જીવંત પ્રતીક છે. આજે પણ એક અસલી પટોળાની કિંમત લાખોમાં પહોંચી શકે છે. કેટલીક વિશેષ ડિઝાઇનવાળી પટોળા સાડીની કિંમત ₹6 લાખ કે તેથી વધુ પણ હોઈ શકે છે. પાટણના પટોળાની વૈશ્વિક લોકપ્રિયતાનો અંદાજ એ…