નીટ પેપર લીક કેસમાં વધુ એક માસ્ટરમાઇન્ડ ઝડપાઈ, મનીષા સંજય હવાલદારની CBI દ્વારા ધરપકડ

CBI એ દેશના ચર્ચિત NEET-UG 2026 Paper Leak Case મામલે વધુ એક મોટી કાર્યવાહી કરતા મહિલા આરોપી મનીષા સંજય હવાલદાર ની મહારાષ્ટ્રના પુણેમાંથી ધરપકડ કરી છે.

ફિઝિક્સ પ્રશ્નપત્ર લીક કરવાનો આરોપ
સીબીઆઈના જણાવ્યા અનુસાર, મનીષા હવાલદાર નીટ-યુજી 2026 માટે ફિઝિક્સ વિષયના પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા સાથે જોડાયેલી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે તેણે શેર કરેલા પ્રશ્નો મૂળ પરીક્ષાના ફિઝિક્સ પેપર સાથે મેળ ખાતા હતા. તપાસ એજન્સીએ તેને સમગ્ર પેપર લીક નેટવર્કની મહત્વપૂર્ણ કડી ગણાવી છે.

NTA સાથે નિષ્ણાત તરીકે જોડાયેલી હતી
તપાસમાં જાણવા મળ્યું છે કે National Testing Agency દ્વારા મનીષા હવાલદારને પરીક્ષા પ્રક્રિયામાં નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવી હતી, જેના કારણે તેને પ્રશ્નપત્રો સુધી સીધી પહોંચ મળી હતી. આરોપ મુજબ, એપ્રિલ 2026 દરમિયાન તેણે સહ-આરોપી મનીષા મંધરે સાથે ફિઝિક્સના અનેક પ્રશ્નો શેર કર્યા હતા. મનીષા મંધરેની ધરપકડ અગાઉ 16 મે 2026ના રોજ કરવામાં આવી હતી.

દેશભરમાં CBIના દરોડા
સીબીઆઈએ કેસ સંબંધિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. તપાસ દરમિયાન લેપટોપ, મોબાઈલ ફોન, બેંક સ્ટેટમેન્ટ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. હાલ ફોરેન્સિક તપાસ દ્વારા પેપર લીક નેટવર્ક કેટલું મોટું હતું અને તેમાં અન્ય કોણ સંડોવાયેલ છે તેની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં 11 આરોપીઓ ઝડપાયા
આ કેસમાં અત્યાર સુધી કુલ 11 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાશિક, પુણે, લાતુર અને અહિલ્યાનગર સહિતના શહેરોમાંથી આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ દરમિયાન એવી માહિતી પણ સામે આવી છે કે કેટલાક વચેટિયાઓ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઈને તેમને ખાસ કોચિંગ અને ગેરકાયદેસર મદદ પૂરી પાડી રહ્યા હતા.

શિક્ષણ મંત્રાલયની ફરિયાદ બાદ તપાસ શરૂ
સીબીઆઈએ જણાવ્યું કે આ કેસ 12 મે 2026ના રોજ શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની લેખિત ફરિયાદના આધારે નોંધાયો હતો. ત્યારબાદ વિશેષ તપાસ ટીમો બનાવી દેશવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી હતી.

 

 

  • Related Posts

    ઓડિશાના ગંજમ જિલ્લામાં ભયાનક અકસ્માત, બસ-રિક્ષા ટક્કરમાં 6 શ્રદ્ધાળુઓના મોત

    ગંજમ જિલ્લો માં શુક્રવારે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. પુરુષોત્તમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લાડકાપલ્લી ચોક પાસે એક પૂરપાટ ઝડપે દોડતી બસે ઓટો-રિક્ષાને પાછળથી જોરદાર…

    સોમનાથમાં દરિયાઈ દુર્ઘટના: ઊંચા મોજાંમાં 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો બચાવ, 1 લાપત્તા

    સોમનાથ મંદિર ખાતે દરિયાકિનારે એક દુઃખદ ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના સોલાપુરથી આવેલા યાત્રિકોમાંથી ત્રણ લોકો અચાનક આવેલા ઊંચા મોજાંની ઝપટે ચડી જતા દરિયામાં ગરકાવ થયા હતા. જેમાંથી બે યાત્રિકોને…