ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે

ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ યોજાશે
**
૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓની ઉપસ્થિતિ
**
ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWLF) દ્વારા ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તા. ૧૧થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ૩૧ દેશોના આશરે ૨૦૦ રમતવીરો, ૨૦૦ જેટલા કોચ, સપોર્ટ સ્ટાફ, પ્રતિનિધિઓ અને મેનેજરો; ૫૦ જેટલા આંતરરાષ્ટ્રીય ટેકનિકલ અધિકારીઓ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશન (IWF) અને એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન (AWF) ના પ્રમુખ અને જનરલ સેક્રેટરી સહિત ૫૦ વિશિષ્ટ અતિથિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક કોંગ્રેસની બેઠકો પણ ૧૨ મે, ૨૦૨૬ના રોજ અમદાવાદના ખાતે યોજાશે.

ભારતીય રમતગમત માટે આ એક પ્રતિષ્ઠિત પ્રસંગ છે કારણ કે આ ચોથી વખત IWLF ને આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપનું આયોજન સોંપવામાંઆવ્યું છે. જે વૈશ્વિક વેઇટલિફ્ટિંગ સમુદાયમાં ભારતના વધતા કદને પુષ્ટિ આપે છે.

૨૦૧૫માં પુણે, ૨૦૨૩માં ગ્રેટર નોઇડા, ૨૦૨૫માં અમદાવાદ- એમ વિવિધ શહેરોમાં ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન કરાયું છે. જેમાં કોમનવેલ્થ ચેમ્પિયનશિપ (યુવા, જુનિયર અને સિનિયર) માટે નવા ધોરણો સ્થાપિત થયા.

અને હવે, વર્ષ ૨૦૨૬માં ગાંધીનગર યજમાન બન્યું છે. જેનાથી એશિયન દેશોમાં વેઇટલિફ્ટિંગ માટે ભારતની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બની છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષોથી ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન સતત આ દિશામાં કામ કરી રહ્યું છે: જેમાં પાયાના સ્તરે ભાગીદારીને પ્રોત્સાહન આપવાથી માંડીને ભારતીય રમતવીરોને ઉચ્ચતમ સ્તરે સ્પર્ધા કરવા અને વિશ્વભરના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે એક્સપોઝર મેળવવાની તકો ઊભી કરવામાં આવી રહી છે.

ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬ એ ફક્ત એશિયન દેશો અને કોમનવેલ્થમાંથી ટોચના પ્રતિભાઓને એકસાથે લાવશે, એટલું જ નહીં, તે કોમનવેલ્થ ગેમ્સ-ગ્લાસગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ પણ છે. જેથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા માટે પણ પ્રેરણા આપશે.

આ સ્પર્ધામાં એવા ચુનંદા વેઇટલિફ્ટર્સ ભાગ લેશે જેઓ પ્રતિષ્ઠિત મેડલવિજેતા છે જેમ કે; ૬ ઓલિમ્પિક રમતોના મેડલ વિજેતા, ૩૫ વિશ્વ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા, ૧૦ એશિયન ગેમ્સ મેડલ વિજેતા, અસંખ્ય કોમનવેલ્થ ગેમ્સ અને કોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા ભાગ લેશે.

આ ચેમ્પિયનશિપનો ઉદ્ઘાટન સમારોહ તા. ૧૨ મે, ૨૦૨૬ના રોજ મહાત્મા મંદિર કન્વેન્શન અને પ્રદર્શન કેન્દ્ર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી તથા રમતગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિતની ઉપસ્થિતિમાં યોજાશે.

જેમાં મોહમ્મદ હસન જલુદ, પ્રમુખ, ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનઅને ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન; મોહમ્મદ બિન યુસુફ અલ માના, પ્રમુખ, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન; મોહમ્મદ અહેમદ અલ હાર્બી, જનરલ સેક્રેટરી, એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન ઉપસ્થિત રહેશે. જેનું સમગ્ર આયોજન ડૉ. સહદેવ યાદવ, પ્રમુખ, ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના નેજા હેઠળ કરવામાં આવ્યું છે.

  • Related Posts

    અમદાવાદમાં જામશે મહાકુંભ: CWG 2030નો સત્તાવાર હેન્ડઓવર મળતા અમદાવાદ બન્યું યજમાન Triumphant

    કોમનવેલ્થ ગેમ્સ 2026નું શાનદાર સમાપન, અમદાવાદને મળ્યો 2030 ગેમ્સનો સત્તાવાર હેન્ડઓવર 2030 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026નું ભવ્ય સમાપન થયું. ભારતે 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા, જ્યારે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સત્તાવાર રીતે ફ્લેગ અને બેટન સોંપવામાં આવ્યા. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી **કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games 2026)**નું ભવ્ય સમાપન રંગારંગ સમારોહ સાથે થયું. સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ અને હજારો દર્શકોએ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા. ભારત માટે આ ગેમ્સ અનેક યાદગાર સિદ્ધિઓ લઈને આવી, જ્યારે ગુજરાતના અમદાવાદ શહેર માટે પણ આ દિવસ ઐતિહાસિક બની રહ્યો. સમાપન સમારોહમાં વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની શતાબ્દી એડિશન માટે અમદાવાદને સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન હેન્ડઓવર કરવામાં આવ્યા. આ સાથે અમદાવાદ હવે આગામી યજમાન શહેર તરીકે…

    આસામમાં પૂરનો કહેર: 80લોકોના થયા મૃત્યુ, 8 જિલ્લામાં 2.12 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત

    આસામમાં ચોમાસાના ભારે વરસાદ બાદ પૂરનું સંકટ વધુ ગંભીર બન્યું છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂરનું પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (ASDMA)ના જણાવ્યા અનુસાર, રાજ્યના 8 જિલ્લાઓમાં 2.12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ વર્ષે પૂર અને સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે રાજ્યની અનેક નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસામના 8 જિલ્લાઓમાં પૂરનો સૌથી વધુ પ્રભાવ ASDMA દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યના ગોલાઘાટ, શિવસાગર, વિશ્વનાથ, ચરાઈદેવ, કામરૂપ (મેટ્રો), જોરહાટ,…