ડાકોર રણછોડરાય મંદિરમાં મનોરથના દરોમાં મોટો વધારો, ભક્તોમાં ચર્ચા

શ્રી રણછોડરાયજી મંદિર ખાતે ભક્તો માટે વિવિધ ધાર્મિક મનોરથ અને સેવાઓ હવે વધુ મોંઘી બની ગઈ છે. મંદિર કમિટીએ તાજેતરમાં મનોરથના લાગામાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો છે, જેના કારણે ભક્તોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે.

મંદિરના શિખર પર ધજા ચડાવવાના ખર્ચમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ₹610માં થતો ધજા મનોરથ હવે ₹2500માં કરવામાં આવશે. જ્યારે 52 ગજની વિશેષ ધજા ચડાવવા માટે ભક્તોએ હવે ₹11,000 ચૂકવવાના રહેશે.

બાધા-માનતા માટે કરવામાં આવતા રાજભોગ મનોરથના દરોમાં પણ વધારો થયો છે. અગાઉ ₹3900માં થતો રાજભોગ હવે ₹9345માં થશે. તેવી જ રીતે કુંજ મનોરથ માટે પહેલાં ₹5100 લાગતા હતા, જ્યારે હવે આ ખર્ચ વધારીને ₹11,000 કરવામાં આવ્યો છે.
વિશેષ ધાર્મિક પ્રસંગો માટેના મનોરથ પણ મોંઘા બન્યા છે. Tulsi Vivah પ્રસંગે થતો તુલસી વિવાહ મનોરથ અગાઉ ₹25,000માં થતો હતો, જે હવે વધારીને ₹51,000 કરવામાં આવ્યો છે.

મંદિર કમિટીના આ નિર્ણયને લઈને ભક્તોમાં ચર્ચા જામી છે. કેટલાક લોકો મંદિરના વધતા સંચાલન ખર્ચ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ વધારો યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે ઘણા ભક્તોનું માનવું છે કે “ગરીબોના બેલી” કહેવાતા રણછોડરાયજીના મનોરથ હવે સામાન્ય લોકો માટે મોંઘા બની રહ્યા છે.

 

 

  • Related Posts

    ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

    ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

    Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

    Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.