અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે.

આ પણ વાંચો – ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ

ગુજરાતીમાં ઘર માટે અનેક પ્રકારની કહાવતો છે. દુનિયાનો છેડો એટલે “ઘર”. ધરતી પરનું સ્વર્ગ એટલે “ઘર”. ઘર એ ફક્ત રેતી સીમેન્ટનું સ્ટ્રકચર નહીં પરંતુ કોઇ પણ માણસનાં સેન્ટીમેન્ટ્સ, યાદો, સબંધો વિગેરે વિગેરે અનેક વિષયવસ્તુનું સુંદર-સુયોજીત સંયોજન હોય છે. જ્યારે કોઇ માણસનું ઘર છીનવાય ત્યારે તેના માટે મરણ કરતા પણ મોટી બાબત કહેવાય. અને જો માણસ મોટો અને આર્થિક રીતે સદ્ધર હોય તે ફરી ઘરનું નિર્મણ કરી પણ લઇ શકે છે, પરંતુ જો માણસ સામાન્ય હોય તે ઘરનું પુન:નિર્મણ એક સપનું બની રહે છે અને ફરી ઘર બનાવવું અસંભવ. આવા જ ઘર અને ઘર સાથે જોડાયેલા અનેક સ્વપ્નો એક સાથે આગમાં બળીને ખાખ થઇ ગયા છે.

જી હા, છોટાઉદેપુર જિલ્લાનાં નસવાડી તાલુકાનાં ધારસિમેલ ગામમાં ભીષણ આગ લાગી. એક આદિવાસી પરિવારનું ઘર આગમાં બળીને ખાખ થઇ ગયું અને સ્વપ્નાઓ પણ. રાત્રિ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ધારસિમેલ ગામના હીમો ફળિયામાં એક હૃદયદ્રાવક ઘટના બની. લોકો દિવસભરનો થાક પોતાનાં અંતર અને આત્મા જ્યાં ઠરે છે તે ઘરમાં ઉતારી રહ્યા હતા અને અચાનક આગે તમામ વસ્તુઓ પ્રજાળી અને ભોગબનનારને પ્રતાળ્યા.

આ પણ વાંચો – CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરનાં નવા સંકુલનું ભૂમિપૂજન

ધારસિમેલમાં રહેતા ડુંગરા ભીલ કિણસિયા ભાઈ અને દહરીયા ભાઈના રહેણાંક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખું ઘર અને ઘરમાં રહેલો તમામ ઘરવખરી, અનાજ અને કિંમતી ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ. આગની જ્વાળાઓ જોઈને આસપાસનાં ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો પણ ખરો પરંતુ ત્યાં સુધીમાં બધું જ નાશ પામ્યું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ ગરીબ પરિવાર અત્યારે પાયમાલ થઈ ગયો છે અને ખુલ્લા આકાશ નીચે આવી ગયો છે. પીડિત પરિવારે સરકાર અને વહીવટી તંત્ર પાસે યોગ્ય વળતર અને સહાયની માંગ કરી છે જેથી તેઓ ફરીથી પોતાનું આશિયાનું ઊભું કરી શકે. પરંતુ કહી શકાય કે અગ્ની જેટલી પવિત્ર માનવામાં આવે છે એટલી જ નિષ્ઠુર પણ છે.

Storyline By – @Dharmendra Chauhan, Sr. Journalist (B-India) ChhotaUdepur

#Fire #FireBroke #house #fortune #burnt #ashes #Dharsimel_Village #Naswadi #ChhotaUdepur

Follow us on

  • Related Posts

    6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનતથી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળા 2026 Exquisite Art.

    ₹6 લાખનું પાટણનું પટોળું કેવી રીતે બને? 5 કારીગરોની 6 મહિનાની મહેનત પછી તૈયાર થાય છે વિશ્વપ્રસિદ્ધ હસ્તકળાનો અજોડ નમૂનો પટોળું  ગુજરાતના વિશ્વવિખ્યાત પાટણના પટોળાની બનાવટ, કિંમત, કારીગરોની મહેનત અને તેની વૈશ્વિક ઓળખ વિશે જાણો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને પણ પટોળું ભેટમાં આપ્યું હતું. ગુજરાતની ધરતી પર જન્મેલી અનેક પરંપરાગત કલાઓમાં પાટણનું પટોળું (Patan Patola) વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. તેની અદભૂત ડિઝાઇન, સૂક્ષ્મ કારીગરી અને અનોખી વણાટ પદ્ધતિને કારણે પટોળું માત્ર એક સાડી નથી, પરંતુ ભારતીય હસ્તકળાનું જીવંત પ્રતીક છે. આજે પણ એક અસલી પટોળાની કિંમત લાખોમાં પહોંચી શકે છે. કેટલીક વિશેષ ડિઝાઇનવાળી પટોળા સાડીની કિંમત ₹6 લાખ કે તેથી વધુ પણ હોઈ શકે છે. પાટણના પટોળાની વૈશ્વિક લોકપ્રિયતાનો અંદાજ એ…

    સુરત ગ્રામ્ય LCBનો મોટો સપાટો: ૪ કરોડનો ૨૫૦૦ કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો 2026 Route Trap

    સુરત ગ્રામ્ય LCBએ 4 કરોડનો 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપ્યો: 125 કોથળા જપ્ત, આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા અપનાવ્યો 1200 કિમીનો રૂટ  સુરત ગ્રામ્ય LCBએ અંદાજે ₹4 કરોડની કિંમતના 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. 125 કોથળામાં ભરાયેલો માલ જપ્ત કરાયો. પોલીસને ગેરમાર્ગે દોરવા આરોપીઓએ 500 કિમીના બદલે 1200 કિમીનો લાંબો રૂટ અપનાવ્યો હતો. ગુજરાતમાં નશીલા પદાર્થો અને ગેરકાયદેસર માલસામાનના પરિવહન સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ કડીમાં **સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)**ને મોટી સફળતા મળી છે. પોલીસે અંદાજે ₹4 કરોડની કિંમતના 2500 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો એક મણ વજનના કુલ 125 કોથળામાં ભરેલો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે…