ગંગા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત: ડબલ ડેકર બસ ટ્રક સાથે અથડાતા 30થી વધુ લોકો ઘાયલ

ઉત્તર પ્રદેશના Ganga Expressway પર ફરી એક ગંભીર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. આજે સવારે લુધિયાણાથી હરદોઈ જઈ રહેલી ડબલ ડેકર બસ એક ઉભેલા ટ્રક સાથે જોરદાર અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં અંદાજે 30થી 35 મુસાફરો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ઘાયલોને તાત્કાલિક સારવાર
અકસાન બાદ તમામ ઘાયલોને તાત્કાલિક Bahjoi CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને વધુ સારવાર માટે બદાયૂં જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા સતત સારવાર આપવામાં આવી રહી છે.

ઘટનાસ્થળે અફરાતફરી, રાહત કામગીરી શરૂ
અકસાન બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ અને રાહત ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘાયલોને બહાર કાઢવા માટે તાત્કાલિક પ્રયાસો કરવામાં આવ્યા હતા.

અગાઉ પણ બની ચૂકી છે ઘટનાઓ
ગંગા એક્સપ્રેસવે પર છેલ્લા કેટલાક દિવસોમાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. પાપડ વિસ્તાર નજીક તાજેતરમાં એક કાર આગળ અચાનક પશુ આવી જતા બે મહિલાઓ ઘાયલ થઈ હતી, જ્યારે બીજા એક બનાવમાં કારનું ટાયર ફાટી જવાથી મોટો અકસ્માત થતાં બચી ગયો હતો.

ડ્રાઈવર નશામાં હોવાની શંકા
પ્રાથમિક માહિતી મુજબ, બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો અને અકસ્માત સર્જાયો. જોકે, આ અંગે પોલીસ દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા પ્રયાસ કરી રહી છે.

 

 

  • Related Posts

    થાઈલેન્ડની શાળામાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત 7ના મોત

    થાઈલેન્ડમાં ફરી એકવાર ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. રાજધાની બેંગકોકને અડીને આવેલા નોન થાબુરી પ્રાંતના બેંગ ક્રૂઆઈ જિલ્લામાં આવેલી એક શાળામાં શુક્રવારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. દેબસિરિન નોનથાબુરી સ્કૂલમાં બનેલી આ ઘટનામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત કુલ 6 લોકોના મોત થયા હતા, જ્યારે ગોળીબાર કરનાર વિદ્યાર્થીએ બાદમાં પોતાને ગોળી મારી દેતાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે બેંગકોકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબારથી શાળામાં મચી અફરાતફરી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શાળામાં અચાનક ગોળીઓના અવાજો સંભળાયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. એક 18 વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું કે શરૂઆતમાં તેને…

    2026 પંજાબ ભાજપ અકાલી દળ ગઠબંધન : ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી થશે? પીએમ મોદી અને સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ

    પીએમ નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ-અકાલી દળના ગઠબંધનને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. જાણો સમગ્ર ઘટનાક્રમ અને તેની રાજકીય અસર. ભાજપ અને અકાલી દળનું ગઠબંધન ફરી શરૂ થશે? પીએમ મોદી-સુખબીર બાદલની મુલાકાત બાદ રાજકીય અટકળો તેજ પંજાબના રાજકારણમાં ફરી એકવાર મોટા ફેરફારની અટકળો તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિરોમણી અકાલી દળ (SAD)ના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલ વચ્ચે થયેલી મુલાકાત બાદ ભાજપ અને અકાલી દળ વચ્ચે ફરીથી ગઠબંધન થઈ શકે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે. બંને પક્ષ તરફથી આ મુલાકાત અંગે કોઈ સત્તાવાર રાજકીય જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં આ બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. એક સમય…