ઉમરેઠ પેટાચૂંટણીનું પરિણામ આવતીકાલે, વલ્લભ વિદ્યાનાગરમાં મતગણતરી માટે તૈયારીઓ પૂર્ણ

આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી બાદ હવે આવતીકાલે (4 મે) મતગણતરી હાથ ધરાશે. મતગણતરી BVM College ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

59.04% મતદાન નોંધાયું
ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, 23 એપ્રિલે યોજાયેલી આ પેટાચૂંટણીમાં કુલ 59.04 ટકા મતદાન નોંધાયું હતું. વિધાનસભાના 306 મતદાન મથકો પર મતદારો ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા.

મતગણતરીની પ્રક્રિયા કેવી રહેશે?
સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાશે, જેમાં 206 પોસ્ટલ બેલેટ અને 35 સર્વિસ વોટર્સ મળી કુલ 241 મતપત્રોનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઈવીએમમાં નોંધાયેલા મતની ગણતરી 14 ટેબલો પર કરવામાં આવશે. અંતમાં 5 મતદાન મથકોની VVPAT સ્લીપની ચકાસણી થશે.

700 જેટલા કર્મચારીઓ તૈનાત
મતગણતરી પ્રક્રિયામાં 14 કાઉન્ટિંગ સુપરવાઈઝર, 14 સહાયક અને 14 માઈક્રો સુપરવાઈઝર સહિત અંદાજે 700 જેટલા અધિકારી-કર્મચારીઓ તૈનાત રહેશે, જેથી પ્રક્રિયા પારદર્શક અને સુચારૂ રીતે પૂર્ણ થાય.

સુરક્ષા અને પ્રતિબંધો
મતગણતરી કેન્દ્રની આસપાસ 100 મીટરના વિસ્તારમાં વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. સાથે જ, કેન્દ્રની અંદર મોબાઈલ ફોન લાવવાની મંજૂરી નહીં હોય. મોબાઈલ જમા કરાવવા માટે ખાસ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.

ગોવિંદ પરમારના નિધન બાદ ચૂંટણી
આ બેઠક ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડી હતી. ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસ તરફથી ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાનમાં છે.

પ્રતિષ્ઠાની જંગ
લગભગ 2.4 લાખ મતદારો ધરાવતી આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપ સ્થાનિક પ્રભાવ અને વારસાગત રાજકારણ પર વિશ્વાસ રાખી રહી છે, જ્યારે કોંગ્રેસ સંગઠન શક્તિ અને અનુભવો પર નિર્ભર છે. રાજકીય વિશ્લેષકોના મતે આ પેટાચૂંટણી બંને પક્ષો માટે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે.

 

 

  • Related Posts

    ઈન્ડોનેશિયામાં 271 લોકો સાથેની ફેરીમાં ભીષણ આગ: 5ના મોત, 41 લાપતા

    ઈન્ડોનેશિયામાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલી એક ફેરીમાં સમુદ્ર વચ્ચે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને અનેક જહાજો તથા બચાવ દળો ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે. આ ઘટના પૂર્વ જાવાના સુરાબયા શહેરથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહેલી ફેરીમાં બની હતી. આગ લાગ્યા બાદ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકોએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. ઈન્ડોનેશિયામાં મુસાફરોમાં મચી અફરાતફરી ઈન્ડોનેશિયામાં નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (Basarnas)ના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ફેરી…

    ‘ટ્રમ્પનો દાવો ખોટો, હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધ યથાવત રહેશે’: ઈરાનનો અમેરિકા સામે કડક સંદેશ

    અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે બંને દેશો આમને-સામને આવી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ઈરાન સાથે યુદ્ધવિરામ અને સમજૂતી અંગે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે અને હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં સંપૂર્ણપણે ખોલવામાં આવશે. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી બંધ નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પરના નિયંત્રણો અને પ્રતિબંધો યથાવત રહેશે. ઈરાનના નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ફરીથી ભૂરાજકીય તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોવાથી તેના પર લાગતા કોઈપણ પ્રતિબંધની અસર આંતરરાષ્ટ્રીય બજારો પર સીધી પડી…