અધધધ કરોડનો દારૂ જપ્ત, પણ ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે “બુટલેગરોનાં અચ્છે દિન”

  • સુરેન્દ્રનગર ગ્રામ્યમાંથી ઝડપાયો અધધધ વિદેશી દારૂ
  • કાનપુરની સીમમાંથી ગેરકાયદેસર ઈંગ્લિશ દારૂ ઝડપાયો
  • ટ્રકમાં ઘાસની આડમાં કરોડોનો દારૂ લઈ જવાતો હતો
  • આકસ્મિક રેડમાં ₹1.07 કરોડનો મુદ્દામાલ કબજે
  • રેડ દરમિયાન તમામ આરોપી ફરાર, શોધખોળ શરૂ
  • પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • મોડી રાત્રે પેટ્રોલિંગમાં સાયલા પોલીસને મોટી સફળતા

ગુજરાતમાં આમતો અચ્છે દિન તમામનાં આવ્યા છે તેવો જો કે દાવો છે. કદાચ સાચો પણ હશે કારણ કે ટાંકણીથી માંડીને ટેકનોલોજી સુધીનાં ભાવમાં અચ્છે દિન દેખાય જ છે. પેટ્રોલ-ડિઝલ હોય કે શાકભાજીનાં ભાવ અચ્છે દિનનાં ગવાહ છે. પણ હાલનાં સમયમાં ગુજરાતમાં બુટલેગરોનાં પણ અચ્છે દિન આવ્યા જેવો ક્યાસ જોવામાં આવી રહ્યો છે. ગુજરાતની નિષ્ઠાવાન અને કર્મઠ પોલીસ રાજ્યમાંથી રોજ કરોડો રુપીયાનો વિદેશી દારૂ ઝડપે છે અને આટલા અધધધ કરોડનો દારુ રોજબરોજ ઝડપાતો હોવા છતા પણ ગુજરાતમાં બુટલેગરોનાં પેટનું જાણે પાણી પણ નથી હલતું તેવું પ્રતિત થાય છે. કારણ કે આટલો દારૂ પકડાય જવા છતા બુટલેગરો રોજ કરોડોનો દારુ ઠલવતા હશે ત્યારે જ આ વેપલો પોશાય તે સ્વાભાવિક અને સામાન્ય માણસને સમજાય તેવી વાત છે. આ ચર્ચાનો વિષય ઉપસ્થિતિ થવાનું કારણ પણ આવું જ છે.

આ પણ વાંચો – ગુજરાતની તિજોરી એપ્રિલમાં છલકાઈ: GST આવકમાં 44%નો રેકોર્ડ ઉછાળો

ગુજરાતનાં સુરેન્દ્રનગર જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તામાંથી અધધધની કિંમતનો વિદેશી દારૂ પોલીસે ઝડપ્યો છે. જી હા, જીલ્લાનાં કાનપુર ગામની સીમમાંથી ગેરકાયદેસર ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે. ટ્રકમાં ઘાસની આડમાં કરોડોનો વિદેશ દારૂ લઈ જવાતો હતો. પોલીસની આકસ્મિક રેડમાં ₹1.07 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રેડ દરમિયાન તમામ આરોપી ફરાર થઇ જવા પામ્યા છે(કદાચ અચ્છે દિન હશે) પણ પોલીસ શોધખોળ કરી રહી છે. જેમ લાખો ફરાર આરોપીની શોધ શરૂ છે. પોલીસ દ્વારા પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કહી શકાય કે સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલાની પોલીસને મોડી રાત્રે પેટ્રોલિંગમાં આકસ્મિક પણ ખૂબ મોટી સફળતા મળી છે.

Follow us on

#Liquor, #seized, #good_days_for_bootleggers #Gujarat #bootleggers #Gujarat_Police

  • Related Posts

    ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું ભવ્ય આયોજન

    ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન હેઠળ ઠેર-ઠેર જનકલ્યાણ શિબિરોનું સફળ આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના…

    ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

    દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…