પાકિસ્તાનમાં આતંકી લશ્કર કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની સરેઆમ હત્યા, જાણો સમગ્ર મામલો

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના લાન્ડી કોટલ વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર શેખ યુસુફ આફ્રિદીની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી છે. આ ઘટનાથી આતંકી નેટવર્કમાં ખળભળાટ મચી ગયો છે.

અહેવાલો મુજબ, આફ્રિદી લશ્કર-એ-તૈયબામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હતો અને સાથે સાથે ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) માટે લડવૈયાઓની ભરતી કરવાનું કામ પણ સંભાળતો હતો. તેના મોતને આતંકી સંગઠનો માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

આતંકી નેટવર્કનો મુખ્ય કડી હતો
શેખ યુસુફ આફ્રિદી માત્ર એક આદિવાસી નેતા જ નહોતો, પરંતુ તે અહલે હદીસ વિચારધારાનો પ્રભાવશાળી ચહેરો માનવામાં આવતો હતો. તે ઝખા ખેલ જનજાતિનો પ્રભાવશાળી સભ્ય હતો અને ધાર્મિક આવરણ હેઠળ ઉગ્રવાદનું જાળું ફેલાવતો હતો. તે પર આરોપ હતો કે તે યુવાનોને ગેરમાર્ગે દોરીને તેમની ભરતી કરતો અને તેમને અફઘાનિસ્તાન મોકલી આતંકી પ્રવૃત્તિઓમાં જોડતો હતો.

આંતરિક વિખવાદનો સંકેત?
આ હત્યાને આતંકી સંગઠનો વચ્ચેના એક મહત્વના ‘સેતુ’ના અંત તરીકે જોવામાં આવી રહી છે. જાણકારોના મતે, આ પાછળ આતંકી સંગઠનો વચ્ચેની આંતરિક દુશ્મનાવટ અથવા વર્ચસ્વની લડાઈ હોઈ શકે છે. હાલમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં ISIS અને તાલિબાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, જેને કારણે આવી ઘટનાઓ વધવાની શક્યતા છે.

સુરક્ષા એજન્સીઓ સતર્ક
હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે અને હજુ સુધી કોઈ સંગઠને આ હત્યાની જવાબદારી સ્વીકારી નથી. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં તણાવ વધી ગયો છે અને સંભવિત વળતા હુમલાની ભીતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

 

  • Related Posts

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

    Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…