હળદર બનશે ડાયાબિટીસ માટે ‘ગોલ્ડન ટિકિટ’, હૃદયને આપશે સુરક્ષા

ભારતીય રસોડાનું ઘરેણું ગણાતી હળદર હવે માત્ર મસાલા તરીકે નહીં, પરંતુ આરોગ્યક્ષેત્રમાં પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તાજેતરના એક સંશોધન મુજબ, હળદરમાં રહેલું મુખ્ય તત્વ ‘કરક્યુમિન’ ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ લાભદાયક સાબિત થઈ શકે છે. ખાસ કરીને હૃદય અને રક્તવાહિનીઓને થતા નુકસાન સામે રક્ષણ આપવામાં લાભદાયક સાબિત થઈ શકે છે.

અમેરિકાની ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (FIT)ના સંશોધકોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે કરક્યુમિન બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે અને શરીરના કોષોના પ્રતિભાવને સુધારે છે. પી.એચ.ડી. સ્કોલર સ્વસ્તી રસ્તોગીના નેતૃત્વમાં થયેલા આ અભ્યાસમાં ટાઇપ-1 ડાયાબિટીસ ધરાવતા ઉંદરો પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો –  Paytm Payments Bank પર RBIની મોટી કાર્યવાહી: લાયસન્સ રદ, હવે ગ્રાહકો પર શું અસર?

માત્ર એક મહિના સુધી કરક્યુમિન આપ્યા બાદ ડાયાબિટીક ઉંદરોની રક્તવાહિનીઓ અને મહાધમની (Aorta)ની કાર્યક્ષમતા સામાન્ય ઉંદરો જેવી થઈ ગઈ હતી. કરક્યુમિને રક્તવાહિનીઓમાં કેલ્શિયમ આયનોના પ્રવાહને સંતુલિત કર્યો અને મહત્વપૂર્ણ પ્રોટીનના સ્તરને સુધાર્યું. વિશ્વભરમાં ડાયાબિટીસ એક ગંભીર સમસ્યા બની રહી છે. ડાયાબિટીસના કારણે હૃદય અને રક્તવાહિનીઓને લાંબા ગાળે નુકસાન થાય છે. આવા સમયમાં હળદરના એન્ટી-ઓક્સિડન્ટ ગુણો રક્ષણ પૂરું પાડી શકે છે.

આ પણ જુઓ –  અમેરિકાથી સૌથી મોટા સમાચાર | #bindi

જોકે, સંશોધકોનો ભાર છે કે હળદરને તરત જ ડાયાબિટીસની દવા તરીકે માનવી યોગ્ય નથી. કારણ કે કરક્યુમિન માનવ શરીરમાં ઓછી માત્રામાં જ શોષાય છે અને ઝડપથી બહાર નીકળી જાય છે. તેની અસરકારકતા વધારવા માટે તેને કાળા મરી સાથે લેવાથી મદદ મળી શકે છે. આ સંશોધન અમેરિકન ફિઝિયોલોજી સમિટમાં રજૂ થવાનું છે, અને આગામી સમયમાં માનવો પર થનારા ક્લિનિકલ ટ્રાયલ્સ બાદ વધુ સ્પષ્ટતા મળશે. હળદરનો ઉપયોગ પહેલેથી જ ઓસ્ટિયોઆર્થરાઈટીસ અને રુમેટોઈડ આર્થરાઈટીસ જેવી બીમારીઓમાં સાંધાના દુખાવા ઘટાડવા માટે થાય છે. ઉપરાંત કેન્સર, અલ્ઝાઈમર અને પાર્કિન્સન્સ જેવી ગંભીર બીમારીઓમાં પણ તેની અસર અંગે સંશોધન ચાલુ છે.

Follow us on

#trumarik #haldar #healthtips #health #heart #body #medicin

  • Related Posts

    હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

    હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

    BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

    BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…