અમદાવાદ ગ્રામ્યના માર્ગો પર ગુંજ્યો ‘અચૂક મતદાન’નો નાદ: જાગૃતિ રેલી અને માનવ સાંકળ દ્વારા મતાધિકારનો સંદેશ પ્રસરાવાયો

26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં SVAP (State Voters Awareness Programme) અંતર્ગત જનજાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા ભવ્ય ‘મતદાન જાગૃતિ રેલી’ અને ‘માનવ સાંકળ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાઓના હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શિસ્તબદ્ધ રીતે આ કાર્યક્રમમાં જોડાઈને નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું.

રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં આકર્ષક બેનરો અને પ્લેકાર્ડ્સ ધારણ કર્યા હતા, જેના પર ‘મત આપવો એ આપણી ફરજ છે’ અને ‘જાગૃત મતદાતા, લોકશાહીનો ભાગ્યવિધાતા’ જેવા પ્રેરણાદાયી સૂત્રો લખેલા હતા.

ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ લાંબી માનવ સાંકળ રચીને મતાધિકારના મૂલ્ય પ્રત્યે સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમો દ્વારા નાગરિકોને મતદાનના દિવસે ઉત્સાહભેર મતદાન મથક સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી અને નોડલ ઓફિસર SVAP દ્વારા આ સફળ આયોજન બદલ તમામ શાળાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને 26 એપ્રિલના રોજ મતદાન કર્યા બાદની સેલ્ફી એકત્ર કરવાના આગામી આયોજન વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    મહિલાઓ માટે જીવનરક્ષક HPV વેક્સીન: સર્વાઇકલ કેન્સરથી બચાવ અને ખર્ચની માહિતી,HPV વેક્સિન કેમ છે જરૂરી?

    ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં સર્વાઇકલ કેન્સરના કેસોમાં વધારો નોંધાયો છે. આ એક ગંભીર અને જીવલેણ બીમારી છે, જે ખાસ કરીને મહિલાઓમાં જોવા મળે છે. સ્ત્રીઓમાં થતો આ બીજો સૌથી સામાન્ય…

    લેન્સકાર્ટ વિવાદ પર ધીરેન્દ્ર શાસ્ત્રીના કડક પ્રહાર, કહ્યું— “ભારતમાં આ શું ચાલે છે?”

    લેન્સકાર્ટની કથિત HR નીતિઓને લઈને દેશભરમાં વિવાદ વધતો જઈ રહ્યો છે. હવે આ મુદ્દે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ ખુલ્લેઆમ સામે આવ્યા છે અને કંપની પર કડક શબ્દોમાં…