JEE મેઈન ફેઝ-2નું પરિણામ જાહેર: ગુજરાતના નિમય પુરોહિતે 100 પર્સેન્ટાઈલ મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું

JEE મેઈન ફેઝ-2નું પરિણામ જાહેર થઈ ગયું છે. આ પરીક્ષામાં કુલ 26 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવી છે, જેમાં ગુજરાતમાંથી રાજકોટના નિમય પુરોહિતે એકમાત્ર ટોપ સ્કોરર તરીકે સ્થાન મેળવ્યું છે.

નિમય પુરોહિતે ઓલ ઈન્ડિયા રેન્કમાં 16મો ક્રમ હાંસલ કર્યો છે. તે રાજકોટની એલન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરે છે. તેના પિતા હર્ષલભાઈ અને માતા દર્શનાબેન બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. ડૉક્ટર પરિવારમાંથી હોવા છતાં નિમયે એન્જિનિયરિંગ ક્ષેત્ર પસંદ કર્યું છે અને નાની વયથી જ ગણિત પ્રત્યે તેની ખાસ રુચિ રહી છે.

નિમયે જણાવ્યું હતું કે છઠ્ઠા ધોરણથી જ તેને મેથ્સ વિષય ખૂબ ગમતો હતો અને ત્યારથી જ તેણે એન્જિનિયરિંગ તરફ કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો હતો. હાલ તે JEE એડવાન્સની તૈયારી કરી રહ્યો છે અને મુંબઈ IITમાં અભ્યાસ કરવાનો તેનો લક્ષ્ય છે.

દેશભરમાં 26 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, જેમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશના પાંચ-પાંચ, રાજસ્થાનના ચાર, દિલ્હીથી ત્રણ, મહારાષ્ટ્ર અને હરિયાણાથી બે-બે અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી એક-એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.

અન્ય તરફ, સુરતના વિદ્યાર્થી શૌર્ય ખેમકાએ પણ ઉત્તમ પ્રદર્શન કરીને ઓલ ઈન્ડિયા 179મો રેન્ક મેળવ્યો છે. તેણે છેલ્લા પાંચ મહિનાથી દરરોજ 13થી 14 કલાક સુધી અભ્યાસ કરીને આ સફળતા હાંસલ કરી છે. તેના જણાવ્યા મુજબ, શિક્ષકોના માર્ગદર્શન અને સતત રિવિઝન તેના સફળતાના મુખ્ય કારણ રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ધોરણ 9માં ત્રણ ભાષાની નીતિ ફરજિયાત ન બનાવવાની માંગ, CBSEની પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

    કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાની નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો રજૂ કરવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે દેશની અનેક શાળાઓમાં જરૂરી શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને એવી ભાષા ભણવાની ફરજ પડી રહી છે, જેના માટે પૂરતી વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ અરજદારોના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે આ મુદ્દો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માંગ સુનાવણી દરમિયાન વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે આ મામલો અગાઉ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી…

    NEET આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો રોડમેપ, દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત

    NEET પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે પોતાના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પાર્ટીએ દેશભરમાં યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાનારી બે દિવસીય વ્યૂહાત્મક બેઠક પહેલાં જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આગામી સમયમાં યુવાનોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે અને દેશના વિવિધ રાજ્યોમાં જઈને યુવાનોના વિચારો, અપેક્ષાઓ અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. બે દિવસીય વ્યૂહાત્મક બેઠકમાં બનશે ભવિષ્યની રણનીતિ આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટી બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, મુખ્ય પ્રવક્તાઓ તેમજ સંગઠનાત્મક નેતાઓ ભાગ…