વડાપ્રધાન PM મોદીનો ઝાલમુરી પ્રેમ, જાણો કેમ છે આ સ્ટ્રીટ ફૂડ ખાસ

પશ્ચિમ બંગાળના  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ચૂંટણી રેલી દરમિયાન સ્થાનિક સ્ટ્રીટ ફૂડ ઝાલમુરીનો સ્વાદ માણ્યો. તેમણે આ અનુભવ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કર્યો અને સ્થાનિક વિક્રેતા સાથે પણ વાતચીત કરી. શું તમે જાણો છો કે પશ્ચિમ બંગાળનું આ સ્ટ્રીટ ફૂડ ઝાલમુરી શા માટે આટલું પ્રખ્યાત છે અને તે કેવી રીતે બને છે ?

વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ, ‘X’ પર આ ક્ષણના ફોટા અને વીડિયો પણ શેર કર્યા. તેમની પોસ્ટમાં, તેમણે લખ્યું છે કે રવિવારના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પશ્ચિમ બંગાળમાં મારી ચાર જાહેર સભાઓ દરમિયાન મેં ઝારગ્રામમાં સ્વાદિષ્ટ મસાલેદાર ઝાલમુરીનો સ્વાદ માણ્યો.

ઝાલમુરી કેમ આટલી પ્રખ્યાત ?

ઝાલમુરી ફક્ત કોલકાતામાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યમાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તે મસાલા, મમરા, ડુંગળી, મરચાં અને સરસવના તેલને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. તેનો ચટપટો સ્વાદ સ્થાનિકો તેમજ બહારથી આવતા લોકોને ખૂબ જ પસંદ આવે છે.

‘ઝાલ’ શબ્દનો અર્થ મસાલેદાર થાય છે અને ‘મુરી’નો અર્થ મમરા થાય છે. તેનો તીખો, ચટપટો અને સ્વાદિષ્ટ સ્વાદ તેને અન્ય નાસ્તાથી અલગ પાડે છે. તેની તૈયાર કરવામાં વપરાતું કાચા સરસવનું તેલ એક એવી સુગંધ આપે છે જે ખરેખર તમને આકર્ષે છે.

તેને તૈયાર કરવા માટે ન તો વધુ સમય લાગે છે અને ન તો ઘણા પૈસાની જરૂર પડે છે. તે તમામ લોકો માટે સુલભ અને સસ્તી છે. તમે તેને તમારી પસંદગી મુજબ વધુ મસાલેદાર, ઓછી ડુંગળીવાળી અથવા વધુ નારિયેળવાળી બનાવડાવી શકો છો.

ઝાલમુરી બનાવવા માટેની સામગ્રી

મમરા : 2 કપ (ક્રિસ્પી)
બાફેલા બટાકા : ½ કપ (બારીક સમારેલા)
બારીક સમારેલા ડુંગળી, ટામેટા અને કાકડી : ½ કપ
પલાળેલા અથવા બાફેલા કાળા ચણા : 2 ચમચા
બારીક સમારેલા લીલા મરચા : સ્વાદ મુજબ
સીક્રેટ સામગ્રી : 1 ચમચી કેરીના અથાણાનું તેલ (સરસવનું તેલ)
નમકીન/સેવ/ચણાચુર  : ½ કપ
મસાલા : કાળું મીઠું, શેકેલું જીરું પાવડર, ચાટ મસાલો અને લીંબુનો રસ.

બનાવવાની રીત

એક મોટા મિક્સિંગ બાઉલમાં સમારેલા બટાકા, ડુંગળી, ટામેટા, કાકડી, લીલા મરચા અને ચણા ઉમેરો
મિશ્રણમાં કાળું મીઠું, જીરું પાવડર અને ચાટ મસાલો ઉમેરો
ત્યાર બાદ કેરીના અથાણા માટેનું સરસવનું તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
છેલ્લે મમરા, ચણાચુર અને નારિયેળના ટુકડા ઉમેરો અને બરાબરનું મિક્સ કરો
ઉપર થોડો લીંબુનો રસ નીચોવીને તરત જ સર્વ કરો જેથી મમરા નરમ ન પડે.

 

  • Related Posts

    અમેરિકામાં ટ્રમ્પ ટેરિફના સૌથી મોટા રિફંડની પ્રક્રિયા શરૂ, ₹13.8 લાખ કરોડ પરત થશે

    અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલી ટેરિફને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા બાદ હવે રિફંડ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ નિર્ણયને અમેરિકન ઇતિહાસનું સૌથી મોટું ટેરિફ રિફંડ માનવામાં…

    PM મોદીનો રાજસ્થાન પ્રવાસ રદ, પચપદરા રિફાઈનરીમાં આગને કારણે લોકાર્પણ સ્થગિત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મંગળવારે યોજાનારો રાજસ્થાન પ્રવાસ અચાનક રદ કરવામાં આવ્યો છે. બાલોતરા જિલ્લામાં આવેલી પચપદરા રિફાઈનરીમાં લાગેલી ભયંકર આગને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું રાજ્ય સરકાર દ્વારા જણાવાયું…