ગુજરાત પોલીસનો સપાટો: નાર્કોટિક્સનાં ગુન્હામાં સંડોવાયેલા વધુ પાંચ રીઢા આરોપીઓની NDPS હેઠળ અટકાયત

ગુજરાત પોલીસે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી તેજ બનાવી છે. પોલીસ દ્વારા Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988 (PIT NDPS Act) હેઠળ વધુ પાંચ આરોપીઓને અટકાયત કરી રાજ્યની વિવિધ જેલોમાં મોકલી આપ્યા છે.

આ અટકાયતના આદેશો ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP-CID Crime) ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને CID ક્રાઈમની ટીમોએ કરી છે અને રાજકોટ શહેર, અરવલ્લી, બનાસકાંઠા, નવસારી અને જુનાગઢ જિલ્લાનાં આ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

અટકાયત કરાયેલા વ્યક્તિઓમાં ભિલોડા તાલુકાના વાંકાટીંબા ગામના બાબુભાઈ નીનામા (49), પાલનપુર (બનાસકાંઠા)ના ઈશ્વર ઉર્ફે હેંડલ સલાટ (28), વાંસદા (નવસારી)ના મનોજગીરી ગોસ્વામી (45), જુનાગઢના વહીદ પંજા (50) અને રાજકોટના ઇમરાન બેલીમ (32)નો સમાવેશ થાય છે. આ તમામને અગાઉ NDPS અધિનિયમની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેઓ જામીન પર મુક્ત હતા.

ગુજરાત પોલીસનાં જણાવ્યા અનુસાર, PIT NDPS અધિનિયમ હેઠળ આવા વ્યક્તિઓને પૂર્વગામી અટકાયત (preventive detention) હેઠળ રાખી શકાય છે, જેથી તેઓ નશીલા પદાર્થોના વેચાણ, ખરીદી, પરિવહન અથવા સંગ્રહ જેવી પ્રવૃત્તિઓમાં ફરી જોડાય નહી.

જેલમુક્ત થયા પછી પણ આવા લોકો ફરીવખત નશીલા પદાર્થોનાં વેચાણ અથવા તેના કારોબારમાં ફરી વખત સક્રિય થઇ શકે તેમ છે, તેવા સમયે આ કાર્યવાહી કરવામાં આવે છે. રાજ્ય સરકારે નશીલા પદાર્થ સંબંધિત ગુનાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ અપનાવી છે. ગુજરાત પોલીસે જણાવ્યું કે “જેમ અસામાજિક તત્વો સામે PASA લાગુ કરવામાં આવે છે, તેમ જ નાર્કોટિક્સ સંબધિત ગુન્હાનાં આરોપીઓ સામે PIT NDPS અધિનિયમ લાગુ કરવામાં આવે છે,”.

રાજ્યને ‘નશામુક્ત’ બનાવવા માટે ગુજરાત સરકાર પ્રતિબદ્ધ છે અને આ માટે જે કોઇ કાર્ય કરવુ પડે તેના માટે તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે.
વર્ષ 2025 દરમિયાન કુલ 86 આરોપીઓને PIT NDPS અધિનિયમ હેઠળ અટકાયત કરીને રાજ્યની વિવિધ જેલોમાં મોકલવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે અત્યાર સુધીના ચાર મહિનામાં 21 વ્યક્તિઓને આ કડક અભિયાન હેઠળ અટકાયત કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    જમનાબાઈ હોસ્પિટલ 2026 Vadodara Hospital Campus Tragedy : વડોદરાની જમનાબાઈ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની કારની અડફેટે બાળકનું કમકમાટીભર્યું મોત

    વડોદરાની જમનાબાઈ હોસ્પિટલ પરિસરમાં મહિલા તબીબે કાર રિવર્સ લેતા બાળક ગંભીર રીતે ઘાયલ થયું અને સારવાર દરમિયાન તેનું મોત થયું. સમગ્ર ઘટનાની વિગત અને પોલીસ તપાસ જાણો. જમનાબાઈ હોસ્પિટલમાં કરુણ અકસ્માત: મહિલા તબીબની કાર રિવર્સ લેતા બાળકનું મોત B india વડોદરા : વડોદરા શહેરની જાણીતી જમનાબાઈ જનરલ હોસ્પિટલ પરિસરમાં બનેલી એક કરુણ ઘટનાએ સમગ્ર શહેરને શોકમાં મૂકી દીધું છે. હોસ્પિટલ કેમ્પસમાં રમી રહેલા એક માસૂમ બાળકનું કારની અડફેટે આવતાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, હોસ્પિટલમાં ફરજ બજાવતા એક મહિલા તબીબ પોતાની કાર રિવર્સ લઈ રહ્યા હતા ત્યારે પાછળ રમી રહેલા બાળક પર તેમનું ધ્યાન ન જતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઈજાઓના કારણે બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ…

    હડતાળ 2026 : અમદાવાદ ઓટો રિક્ષા હડતાળ: ક્યાંક બંધ તો ક્યાંક સેવાઓ ચાલુ, જાણો હડતાળના પહેલા દિવસે શું રહી સ્થિતિ? AMTS BRTS Extra Bus Service

    અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળના પ્રથમ દિવસે શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. કેટલાક વિસ્તારોમાં રિક્ષા સેવા સંપૂર્ણ બંધ રહી જ્યારે અનેક સ્થળોએ સેવા યથાવત રહી. જાણો હડતાળનું કારણ, મુસાફરોની સ્થિતિ અને પ્રશાસનની તૈયારી. અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળને પ્રથમ દિવસે મિશ્ર પ્રતિસાદ B india અમદાવાદ : શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા આપવામાં આવેલા હડતાળના એલાનનો પ્રથમ દિવસ મિશ્ર પ્રતિસાદ સાથે પસાર થયો. શહેરના કેટલાક વિસ્તારોમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો હડતાળમાં જોડાતા મુસાફરોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, જ્યારે અનેક વિસ્તારોમાં રિક્ષા સેવા સામાન્ય રીતે ચાલુ રહેતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી નહોતી. સવારના પીક અવર્સ દરમિયાન બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને મુખ્ય માર્ગો પર મુસાફરો વૈકલ્પિક વાહનો શોધતા જોવા મળ્યા. અમદાવાદ શહેરના વિવિધ રિક્ષા સંગઠનો દ્વારા…