મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેદ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિએ ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતીય બંધારણના નિર્માતા અને ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતીએ ગાંધીનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ ને ભાવવંદના કરી હતી. મુખ્યમંત્રી એ સૌ પ્રથમ ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ત્યારબાદ, તેમણે વિધાનસભા સંકુલની સામે આવેલ ડૉ. આંબેડકર પ્રતિમા સંકુલ પ્રેરણા ભૂમિ ખાતે સ્થાપિત કરવામાં આવેલી બાબા સાહેબ ની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવ વંદના કરી હતી.

આ પ્રસંગે રંગોળી ઈન્ટરનેશનલ શાળાની વિદ્યાર્થિનીઓએ ડૉ. ભીમરાવ આંબેડકરની જીવન ઝાંખી પ્રસ્તુત કરતું પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યું હતું. મુખ્યમંત્રી ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન પ્રેરણા ભૂમિ ખાતે જનમેદની સાથે બંધારણના ઘડવૈયા ની જન્મ જયંતિ ઉજવણીમાં સહભાગી થયા હતા.
આ સમયે સમગ્ર વાતાવરણ ‘જય ભીમ’ ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

આ અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, સામાજિક ન્યાય અને અધિકારીતા તથા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સહિત મંત્રીમંડળના સદસ્યો, વિધાનસભાના પદાધિકારીઓ, ધારાસભ્યઓ, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
સૌએ ડૉ. આંબેડકરજીના રાષ્ટ્ર નિર્માણમાં પ્રદાનને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

  • Related Posts

    CBSE 10th Result 2026: વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા, પરિણામ તારીખ પર સસ્પેન્સ

    સીબીએસઈ (CBSE) 10મું બોર્ડ પરિણામ 2026 અંગે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા છે. સોશિયલ મીડિયા અને વિવિધ રિપોર્ટ્સમાં 14 એપ્રિલે પરિણામ જાહેર થવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ હકીકત શું છે? બોર્ડ…

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકભવનમાં બાબાસાહેબ આંબેડકરને અર્પી શ્રદ્ધાંજલિ

    ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન લોકભવન ખાતે ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના પોટ્રેટને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય  દેવવ્રતજીએ પણ ડૉ.…