સુર સામ્રાજ્ઞા આશા ભોંસલેને દેશે આપી ભાવભીની વિદાય : પુત્રએ આપ્યો મુખાગ્નિ

ભારતીય સંગીત જગત માટે આજે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરીલા અવાજની માલિક અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી મનોરંજન ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અંતિમ વિદાય દરમિયાન તેમના પુત્ર આનંદ ભોંસલેએ માતાના અંતિમ સંસ્કાર કર્યા અને ચિતાને અગ્નિદાહ આપ્યો. પરિવારજનો અને નજીકના લોકો માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક રહી. તેમની પૌત્રી જેનાઈ દાદીને અંતિમવાર જોઈને દુઃખમાં તૂટી પડી હતી.

આપણ વાંચો – દેશની શક્તિ – નારી શક્તિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ આપ્યો પ્રેરણાદાયક સંદેશ

આશા તાઈએ પોતાના અનોખા અવાજ અને બહુમુખી ગાયકીથી દાયકાઓ સુધી સંગીતપ્રેમીઓના દિલ પર રાજ કર્યું હતું. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ તત્વોમાં તેમનું શરીર ભલે વિલીન થઈ ગયું હોય, પરંતુ તેમનો અવાજ સદાકાળ માટે જીવંત રહેશે. તેમના નિધનને એક યુગનો અંત માનવામાં આવી રહ્યો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક સેલિબ્રિટી અને ચાહકોએ તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે. આશા ભોંસલેએ ગાયેલા સદાબહાર ગીતો તેમને હંમેશા માટે અમર બનાવશે. સંગીતપ્રેમીઓના હૃદયમાં આશા ભોંસલે હંમેશા જીવંત રહેશે.

 

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

GSRTCની ડિજિટલ ક્રાંતિ: હવે એસ.ટી. બસની સમસ્યાઓ એક ક્લિકમાં થશે હલ

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ‘પેસેન્જર ફીડબેક અને પરફોર્મન્સ રેટિંગ સિસ્ટમ’ને રાજ્યભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. હવે એસ.ટી. બસમાં મુસાફરી દરમિયાન…

કર્ણાટકમાં PM મોદીની આધ્યાત્મિક યાત્રા, કડક સુરક્ષા વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો કાર્યક્રમ

કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસીય મુલાકાતે રાજકીય અને ધાર્મિક મહત્ત્વ વધાર્યું છે. આજે વહેલી સવારે બેંગલુરુ એરપોર્ટ પર કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.…