દેશની શક્તિ – નારી શક્તિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ આપ્યો પ્રેરણાદાયક સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિજ્ઞાન ભવનમાં ખાતે આયોજિત ‘નારી શક્તિ વંદન સંમેલન’ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ દેશના વિકાસમાં મહિલાઓની વધતી ભૂમિકા અને સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આ સંમેલન મહિલાઓને રાજકીય અને સામાજિક ક્ષેત્રે વધુ પ્રતિનિધિત્વ આપવા માટે રચાયેલા મહિલા અનામત અધિનિયમના અમલીકરણ તરફ આગળ વધતી એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે વડાપ્રધાને મહિલાઓની શક્તિ, પ્રતિભા અને નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા કરી અને જણાવ્યું કે ભારતનું ભવિષ્ય ‘નારી શક્તિ’ના સશક્તિકરણ સાથે સીધું જોડાયેલું છે. શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, ઉદ્યોગસાહસિકતા, મીડિયા અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર પ્રતિષ્ઠિત મહિલા હસ્તીઓ આ મંચ પર એકત્રિત થઈ હતી, જે દેશના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓનું જીવંત પ્રતિબિંબ છે.

વિશેષ રૂપે, સપ્ટેમ્બર 2023 માં પસાર થયેલા Women’s Reservation Act 2023 હેઠળ સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતિયાંશ બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઐતિહાસિક પગલું રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારવા અને તેમને નિર્ણય પ્રક્રિયામાં સશક્ત બનાવવા માટે માર્ગ મોકળો કરશે.

આ ઉપરાંત, 16 એપ્રિલે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, જે આ અધિનિયમના અમલીકરણને વધુ વેગ આપશે. નિષ્ણાતો માને છે કે આ સત્ર દેશના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થઈ શકે છે.

આ સમગ્ર પહેલનો મુખ્ય ઉદ્દેશ માત્ર મહિલાઓને સશક્ત બનાવવાનો નથી, પરંતુ ભારતને એક સમાનતાપૂર્ણ અને સર્વસમાવેશી સમાજ તરફ આગળ ધપાવવાનો છે, જ્યાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં નેતૃત્વ કરે અને દેશના વિકાસમાં સમાન હિસ્સેદારી ભજવે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

કર્ણાટકમાં PM મોદીની આધ્યાત્મિક યાત્રા, કડક સુરક્ષા વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો કાર્યક્રમ

કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસીય મુલાકાતે રાજકીય અને ધાર્મિક મહત્ત્વ વધાર્યું છે. આજે વહેલી સવારે બેંગલુરુ એરપોર્ટ પર કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો અમદાવાદ એરપોર્ટ પરથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભાવસભર વિદાય આપી

માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ સમ્પન્ન થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે…