પાકિસ્તાનમાં સ્માર્ટ લોકડાઉન: રાત્રે 8 વાગ્યે બજારો બંધ કરવાનો નિર્ણય,ઈરાન યુદ્ધ વચ્ચે શાહબાઝ શરીફની મોટી જાહેરાત

પાકિસ્તાનની સરકારે પંજાબ, ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન, ઇસ્લામાબાદ રાજધાની પ્રદેશ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં બજારો, શોપિંગ મોલ અને વાણિજ્યિક વિસ્તારો રાત્રે 8 વાગ્યે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગ અવરોધિત કર્યા પછી દક્ષિણ એશિયન અને યુરોપિયન દેશોએ પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની અછતનો સામનો કરવો પડ્યો છે. ભારત, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોએ આ કટોકટીને ઘટાડવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે, પરંતુ પાકિસ્તાને આ કટોકટીમાંથી છટકવા માટે સ્માર્ટ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે, વડા પ્રધાન શાહબાઝ શરીફે મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં જાહેરાત કરી દીધી છે.

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ઊર્જા સંરક્ષણ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉપયોગને ઓછામાં ઓછો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…