ભાજપના 46મા સ્થાપના દિવસની ગાંધીનગરમાં ભવ્ય ઉજવણી, ‘કમલમ’ ખાતે કેસરીયો માહોલ, કાર્યકરોની ભીડ

ગાંધીનગર:  ગાંધીનગર ખાતે આવેલા કમલમ કાર્યાલય માં ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના હસ્તે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી.  આ પ્રસંગે ભાજપના સ્થાપકો, વરિષ્ઠ નેતાઓ અને રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો, પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ‘કમલમ’ કાર્યાલય સમગ્ર રીતે કેસરીયા રંગમાં રંગાયેલો જોવા મળ્યો હતો, જ્યાં કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો વિશેષ માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા ભાજપના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા, તેમજ બૂથ સ્તરે પાર્ટીને વધુ સક્રિય બનાવવા માટે કાર્યકરોને આહ્વાન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં પણ બૂથ સ્તરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધ્વજવંદન, સેવા કાર્યો અને સંગઠન સંબંધિત પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો.

પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા કાર્યકરો સાથે સીધો સંપર્ક જળવાઈ રહે છે અને સંગઠન વધુ સશક્ત બને છે. ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમને લઈને ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ન્યૂઝીલેન્ડે બદલ્યા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાના નિયમો, ભારતીય વિદ્યાર્થીઓ માટે જાણવી જરૂરી માહિતી

    વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી બનાવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ન્યૂઝીલેન્ડ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સરકારે પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે,…

    એર ઇન્ડિયાનું નવું ‘બેઝિક ફેર’ લોન્ચ, હવે ઓછી કિંમતે કરી શકાશે હવાઈ મુસાફરી

    મુસાફરોને વધુ સસ્તી અને લવચીક મુસાફરીનો વિકલ્પ આપવા માટે Air Indiaએ નવી ‘બેઝિક ફેર’ કેટેગરી શરૂ કરી છે. આ નવી યોજના ખાસ કરીને એવા મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી…