ગુજરાત : 7 એપ્રિલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન બદલાતા રહેતા ખેડૂતો અને નાગરિકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે 7 એપ્રિલના રોજ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે.

કયા જિલ્લાઓમાં પડશે વરસાદ?
હવામાન વિભાગ અનુસાર, 7 એપ્રિલના રોજ નીચેના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે:

– સૌરાષ્ટ્ર: દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, કચ્છ
– ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ
– મધ્ય ગુજરાત: દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહીસાગર

વરસાદી સિસ્ટમના કારણે દરિયામાં પવનની ઝડપ વધવાની શક્યતા છે. માછીમારોને દરિયો ન જવા માટે અને બંદર વિસ્તારોમાં સાવધ રહેવા માટે તંત્ર દ્વારા ખાસ સૂચના આપી છે.

ગરમીમાં આંશિક રાહત
હાલમાં અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં તાપમાન લગભગ 35 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. વરસાદી માહોલને કારણે આગામી બે દિવસ ગરમીમાં મોટો વધારો નહીં થાય, પરંતુ 8 એપ્રિલથી ફરી ગરમીના પારો વધવાની શક્યતા છે. એપ્રિલના બીજા સપ્તાહમાં લોકો ભારે ગરમીનો સામનો કરી શકે છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ગુજરાતમાં ફરી મેઘમહેરની આગાહી, આગામી 48 કલાક ભારે વરસાદનું યલો એલર્ટ

    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ ફરી જામ્યો છે. ઉત્તર ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી 48 કલાક રાજ્ય માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ, 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો તમે વીકેન્ડ દરમિયાન પરિવાર કે મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જરૂરી બની શકે છે. ભારે વરસાદ અને તેજ પવનને કારણે મુસાફરી દરમિયાન મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આગામી 13 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં…

    સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…