નેપાળમાં પેટ્રોલ સંકટનો પ્રભાવ: અઠવાડિયામાં બે રજાઓ, સરકારના નવા નિયમો અમલમાં

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના પ્રભાવને કારણે નેપાળ માં પેટ્રોલિયમ સંકટ ઊભું થયું છે. પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોને ઇંધણ સરળતાથી ઉપલબ્ધ નથી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રીમંડળે અઠવાડિયામાં બે દિવસની રજાની જાહેરાત કરી છે, જેમાં હવે શનિવાર અને રવિવારે સરકારી કચેરીઓ બંધ રહેશે. સાથે જ, નવા નિયમ મુજબ સરકારી કચેરીઓનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે.

નેપાળના વડા પ્રધાન બલેન્દ્ર શાહ એ પેટ્રોલિયમ સંકટને પહોંચી વળવા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. બેઠક દરમિયાન ઇંધણના વપરાશમાં ઘટાડો લાવવા માટે આ પગલું ભરવાનો નિર્ણય લેવાયો હતો.

વિશ્વસ્તરે Strait of Hormuz માં ઉભી થયેલી પરિસ્થિતિને કારણે પેટ્રોલિયમ સપ્લાય પર અસર પડી છે. આ માર્ગ વિશ્વના આશરે 20-25 ટકા તેલ અને ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યાં થયેલા તણાવને કારણે ઇંધણની અછત અને ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.

સરકારના પ્રવક્તા સસ્મિત પોખરેલે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ પુરવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. નવા નિયમો હેઠળ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ હવે અઠવાડિયામાં બે દિવસ બંધ રહેશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબિયા વચ્ચે ઐતિહાસિક સંરક્ષણ કરાર, NATO જેવી ગઠબંધનની ચર્ચા તેજ

    પશ્ચિમ એશિયામાં વધતા સુરક્ષા પડકારો અને આંતરરાષ્ટ્રીય રાજકીય ફેરફારો વચ્ચે સાઉદી અરેબિયા, તુર્કીયે અને પાકિસ્તાને એક મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર કર્યો છે. મક્કામાં થયેલા આ કરારને ત્રણેય દેશો વચ્ચેના સૈન્ય અને વ્યૂહાત્મક સંબંધોને નવી દિશા આપનાર પગલું માનવામાં આવી રહ્યું છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે મધ્ય પૂર્વમાં વિવિધ સંઘર્ષો, સુરક્ષા જોખમો અને પ્રાદેશિક તણાવ સતત વધી રહ્યા છે. ત્રણેય દેશોએ પોતાની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત કરવા અને એકબીજા સાથે સહયોગ વધારવા માટે આ કરાર પર સહમતિ વ્યક્ત કરી છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, તુર્કીયેના રાષ્ટ્રપતિ રજબ તૈયપ એર્દોગન, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સંયુક્ત રક્ષણનો સંકલ્પ, એક પર હુમલો…

    થાઈલેન્ડની શાળામાં અંધાધૂંધ ગોળીબાર, હુમલાખોર સહિત 7ના મોત

    થાઈલેન્ડમાં ફરી એકવાર ગોળીબારની ગંભીર ઘટના સામે આવી છે. રાજધાની બેંગકોકને અડીને આવેલા નોન થાબુરી પ્રાંતના બેંગ ક્રૂઆઈ જિલ્લામાં આવેલી એક શાળામાં શુક્રવારે અચાનક અંધાધૂંધ ગોળીબાર થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. દેબસિરિન નોનથાબુરી સ્કૂલમાં બનેલી આ ઘટનામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત કુલ 6 લોકોના મોત થયા હતા, જ્યારે ગોળીબાર કરનાર વિદ્યાર્થીએ બાદમાં પોતાને ગોળી મારી દેતાં મૃત્યુઆંક વધીને 7 થયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે બેંગકોકની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ગોળીબારથી શાળામાં મચી અફરાતફરી પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શાળામાં અચાનક ગોળીઓના અવાજો સંભળાયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘણા લોકો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. એક 18 વર્ષના વિદ્યાર્થીએ જણાવ્યું કે શરૂઆતમાં તેને…