મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષના પ્રભાવને કારણે નેપાળ માં પેટ્રોલિયમ સંકટ ઊભું થયું છે. પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોને ઇંધણ સરળતાથી ઉપલબ્ધ નથી.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મંત્રીમંડળે અઠવાડિયામાં બે દિવસની રજાની જાહેરાત કરી છે, જેમાં હવે શનિવાર અને રવિવારે સરકારી કચેરીઓ બંધ રહેશે. સાથે જ, નવા નિયમ મુજબ સરકારી કચેરીઓનો સમય સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે.
નેપાળના વડા પ્રધાન બલેન્દ્ર શાહ એ પેટ્રોલિયમ સંકટને પહોંચી વળવા માટે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. બેઠક દરમિયાન ઇંધણના વપરાશમાં ઘટાડો લાવવા માટે આ પગલું ભરવાનો નિર્ણય લેવાયો હતો.
વિશ્વસ્તરે Strait of Hormuz માં ઉભી થયેલી પરિસ્થિતિને કારણે પેટ્રોલિયમ સપ્લાય પર અસર પડી છે. આ માર્ગ વિશ્વના આશરે 20-25 ટકા તેલ અને ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યાં થયેલા તણાવને કારણે ઇંધણની અછત અને ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.
સરકારના પ્રવક્તા સસ્મિત પોખરેલે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ પુરવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. નવા નિયમો હેઠળ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ હવે અઠવાડિયામાં બે દિવસ બંધ રહેશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






