Food and Drug Control Administration (FDCA) દ્વારા રાજ્યના હોટલ, રેસ્ટોરન્ટ અને તૈયાર ખોરાકના વેપારીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. હવે પનીરના નામે વેચાતા કોઈપણ ડુપ્લીકેટ પનીર અથવા એનાલોગ (Vegetable-Fat Paneer Alternative) પર સખ્ત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
મુખ્ય બાબતો
હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં જો પનીરની જગ્યાએ વેજિટેબલ ફેટ અથવા સ્ટાર્ચ પરથી બનેલ એનાલોગ પનીર ઉપયોગ થાય, તો તેના વિષે મેન્યુકાર્ડ, બોર્ડ કે અન્ય જાણકારી સ્પષ્ટ રીતે દર્શાવવી ફરજિયાત રહેશે. આ નિયમોનો અમલ 4 એપ્રિલ, 2026થી ચુસ્તપણે કરવામાં આવશે. ખોટી માહિતી આપવી અથવા ગ્રાહકોને ભ્રમિત કરવી ‘ભ્રામક વેપાર પ્રથા’ ગણાશે અને કડક કાયદેસરની કાર્યવાહી થશે. પેકેજિંગ અને લેબલિંગમાં સંપૂર્ણ પારદર્શિતા રાખવી ફરજિયાત છે. ફુડ સેફ્ટી ઓફિસર્સ હોટલોમાં આકસ્મિક તપાસ, નિરીક્ષણ અને સેમ્પલિંગ કરશે.
સરકારનું ધ્યેય
આ પગલાંના માધ્યમથી ગ્રાહકોને ખોરાકની ગુણવત્તા અને સલામતી અંગે ખોટી માહિતીથી બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બજારમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનોના વધતા ઉપયોગને અટકાવવાનું મુખ્ય લક્ષ્ય છે.
કાયદેસર આધાર
આ નીતિ ખાદ્ય સુરક્ષા અને સલામતી અધિનિયમ, 2006ની કલમો 23, 24, 53 અને 59 હેઠળ બહાર પાડવામાં આવી છે. નિયમોના ઉલ્લંઘન પર કડક કાર્યવાહી, દંડ અને વ્યવસાયિક પરવાનગી રદ થવા જેવી કાર્યવાહી થઈ શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





