ઈરાન-અમેરિકા તણાવ વધ્યો: અમેરિકી F-15 જેટ તોડી પડાયું, પાયલોટ પર ઈનામ જાહેર

મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઉગ્ર બન્યો છે, કારણ કે ઈરાન એ યુનાઇટેડ સ્ટેટ્સ નું શક્તિશાળી F-15E Strike Eagle ફાઈટર જેટ તોડી પાડ્યાનો દાવો કર્યો છે. આ ઘટનાના પગલે ગુમ થયેલા અમેરિકી પાયલોટને પકડવા માટે ઈરાન તરફથી આશરે 55 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.

ઈરાનના હગીલુયેહ-બોયર અહમદ પ્રાંતના ગવર્નરે સ્થાનિકોને અપીલ કરી છે કે જો કોઈ આ પાયલોટને પકડીને સોંપશે, તો તેને મોટું ઈનામ આપવામાં આવશે. આ દરમિયાન ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) અને સ્થાનિક પોલીસ દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

અમેરિકી સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત થયેલા F-15E વિમાનમાં બે પાયલોટ સવાર હતા. જેમાંથી એકને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યો છે, જ્યારે બીજો પાયલોટ હજુ પણ ઈરાનની સરહદમાં ગુમ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એ પોતાના પાયલોટને બચાવવા માટે રેસ્ક્યૂ મિશન શરૂ કર્યું છે, પરંતુ ઈરાની દળો તરફથી ભારે ફાયરિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

ઈરાને વધુમાં દાવો કર્યો છે કે તેણે A-10 Thunderbolt II પર પણ હુમલો કર્યો હતો, જે બાદ તે કુવૈત તરફ જઈને ક્રેશ થયું. જોકે, તેનો પાયલોટ ઈજેક્ટ થઈને બચી ગયો હોવાનું કહેવાય છે.

ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલીબાફ એ અમેરિકાને નિશાન બનાવીને કહ્યું કે, “સત્તા પરિવર્તન માટે શરૂ કરાયેલ યુદ્ધ હવે માત્ર એક પાયલોટની શોધ સુધી મર્યાદિત બની ગયું છે.”

આ ઘટનાને કારણે બંને દેશો વચ્ચે સીધા જમીની યુદ્ધની શક્યતાઓ વધતી જોવા મળી રહી છે. 2003 ના Iraq War બાદ પહેલીવાર કોઈ યુદ્ધ દરમિયાન અમેરિકી ફાઈટર જેટ આ રીતે તોડી પાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

હાલ સમગ્ર વિશ્વની નજર ગુમ થયેલા પાયલોટ પર છે. જો તે જીવતો ઈરાનના હાથમાં આવશે, તો આ સંઘર્ષ વધુ ગંભીર અને ખતરનાક વળાંક લઈ શકે છે. આગામી કલાકો મધ્ય પૂર્વની સ્થિતિ માટે અત્યંત નિર્ણાયક બની શકે છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…