

રામાનંદ સાગરની રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવીને દારા સિંહે જે છાપ છોડી, તે આજે પણ લોકોના દિલમાં જીવંત છે. તેમની દેહરચના અને વ્યક્તિત્વ આ ભૂમિકા માટે સંપૂર્ણપણે યોગ્ય હતું.
દારા સિંહએ 1987ની રામાયણમાં હનુમાનનો રોલ ભજવીને અવિસ્મરણીય છાપ છોડી હતી. લોકો તેમને સાચા હનુમાન માનીને પૂજા કરતા
12 જુલાઈ 2012 ના રોજ તેમનું અવસાન થયું ,તેઓ આજે આપણી વચ્ચે નથી, પણ તેમની ભૂમિકા આજે પણ જીવંત છે. આજે પણ તેમને “અસલી હનુમાન” તરીકે યાદ કરવામાં આવે છે.

![]()
![]()

વિંદુ દારા સિંહે પોતાના પિતાના પગલે ચાલીને જય વીર હનુમાનમાં હનુમાનનું પાત્ર ભજવ્યું.
ભલે પછી તેમણે રિયાલિટી શો અને ફિલ્મોમાં કામ કર્યું હોય, પરંતુ તેમની ઓળખ આજે પણ આ પૌરાણિક પાત્ર સાથે જોડાયેલી છે.


સિયા કે રામમાં હનુમાન બનીને દાનિશ અખ્તર સૈફીએ ખુબ જ લોકપ્રિયતા મેળવી.
ખાસ વાત એ છે કે તેઓ પહેલા રેસલર હતા અને પછી અભિનેતા બન્યા. આજે પણ તેઓ અનેક ટીવી શોમાં વારંવાર હનુમાનનું પાત્ર ભજવી ચૂક્યા છે.

ફિલ્મ આદિપુરુષમાં દેવદત્તા નાગેએ હનુમાનનું પાત્ર ભજવ્યું હતું.
ભલે ફિલ્મને ટીકા મળી હોય, પરંતુ તેમના અભિનયને ખુબ પ્રશંસા મળી હતી.

કહત હનુમાન જય શ્રી રામમાં બાળ હનુમાનનું પાત્ર ભજવનારા એકાગ્ર દ્વિવેદીને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો.
તેમની નિર્દોષતા અને અભિનયે તેમને ઘરઘરમાં લોકપ્રિય બનાવી દીધા.
આજના સમયમાં પણ ટીવી અને ફિલ્મોમાં હનુમાનના પાત્રને નવા અંદાજમાં રજૂ કરવામાં આવી રહ્યું છે—ચાહે તે વીર હનુમાન જેવા શો હોય કે આવનારા મોટા પ્રોજેક્ટ્સ.
હનુમાન જયંતિ માત્ર એક તહેવાર નથી, પરંતુ તે કલાકારોને યાદ કરવાનો અવસર પણ છે, જેમણે આ દિવ્ય પાત્રને જીવંત બનાવ્યું.
આ તમામ કલાકારોએ માત્ર અભિનય જ નથી કર્યો, પરંતુ આસ્થા ને પડદા પર ઉતારી છે. Dara Singh જેવા દિગ્ગજ આજે ભલે આપણા વચ્ચે નથી, પરંતુ તેમનો “હનુમાન” હંમેશા અમર રહેશે.
મધ્યપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે. રાજ્યસભાની ત્રીજી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન ચકાસણી દરમિયાન રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ હવે…
ભારતીય રેલવે મુસાફરોને વધુ ઝડપી અને સરળ સેવા આપવા માટે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ઓગસ્ટ મહિનાથી રેલવેની સમગ્ર ટિકિટ બુકિંગ પ્રક્રિયા તબક્કાવાર નવી પેસેન્જર રિઝર્વેશન…

