નર્મદા જિલ્લામાં તાજેતરમાં આવેલા જોરદાર વાવાઝોડાએ ખેડૂતોને ભારે નુકશાન પહોંચાડ્યું છે. ખાસ કરીને માંગરોળ ગામના એક ખેડૂતનો પાક નાશ પામતા આર્થિક ચિંતા વધી છે.
મળતી માહિતી મુજબ, નાંદોદ તાલુકાના ખેડૂત મહેશભાઈ શંકરભાઈ પટેલના ખેતરમાંથી લગભગ 700 કિલોથી વધુ પપૈયાં વાવાઝોડાના જોરદાર પવનને કારણે નીચે પડી ગયા હતા, જેના કારણે તેમને મોટું આર્થિક નુકશાન થયું છે.
વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં ખેડૂતોને વારંવાર નુકશાન વેઠવું પડે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન પણ નર્મદા જિલ્લામાં અનેક ખેડૂતોના પાકને નુકશાન થાય છે, પરંતુ આ વખતે વાવાઝોડાએ સ્થિતિ વધુ ગંભીર બનાવી છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે આ પ્રકારની આફતોમાં સરકાર તરફથી તાત્કાલિક સહાય અને વળતર મળવું જરૂરી છે. હાલમાં અસરગ્રસ્ત ખેડૂતો સરકાર પાસેથી સહાયની આશા રાખી રહ્યા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





