મિડલ ઇસ્ટ સંકટ: પીએમ મોદીની હાઈ-લેવલ બેઠક, ઊર્જા સુરક્ષા પર ખાસ ધ્યાન

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. જેમાં દેશની ઊર્જા સુરક્ષા અને આવશ્યક પુરવઠાની સમીક્ષા કરવામાં આવી.

આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, એસ. જયશંકર, નિર્મલા સીતારમણ સહિતના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન પેટ્રોલિયમ, ક્રૂડ તેલ, ગેસ, વીજળી અને ખાતર ક્ષેત્રની હાલની સ્થિતિ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.

સરકારનો મુખ્ય ફોકસ દેશમાં તેલ, ગેસ અને ખાતર જેવા જરૂરી સ્રોતોનો અવિરત પુરવઠો જાળવવાનો છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે, જેનો સીધો અસર ભારત જેવા આયાત આધારિત દેશો પર પડી શકે છે. ખાસ કરીને Strait of Hormuzમાં વધેલા તણાવને કારણે શિપિંગ ટ્રાફિક પ્રભાવિત થયો છે. આ માર્ગ વિશ્વના લગભગ 20 ટકા તેલ પરિવહન માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

પ્રધાનમંત્રી મોદીએ અગાઉ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ દેશ માટે પડકારરૂપ છે, પરંતુ સરકાર સંપૂર્ણ રીતે સજ્જ છે. તેમણે પુરવઠા શૃંખલા જાળવવા અને વિકલ્પિક સ્રોતોની શોધ માટે સતત પ્રયત્નો ચાલી રહ્યા હોવાની ખાતરી આપી હતી. માહિતી મુજબ, અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર થયેલા હુમલાઓ બાદ પરિસ્થિતિ વધુ તંગ બની છે, અને તેના જવાબમાં ઇરાન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ કારણે સમગ્ર મિડલ ઇસ્ટ વિસ્તારમાં અસ્થિરતા વધી છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર અને ઈરાન સહિતના દેશોના નેતાઓ સાથે વાતચીત કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશની ઊર્જા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે દરેક સંભવિત પગલાં લેવામાં આવશે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ડોનાલ્ડ ટ્રમ્પના 48 કલાકના અલ્ટીમેટમ પર ઈરાની રાષ્ટ્રપતિનો સખત જવાબ: “અમે ધમકીથી ડરતા નથી”

અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trumpએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટમાં તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન આ…

આવતીકાલથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, લાખો ખેડૂતોને મળશે લાભ

ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા 23 માર્ચ, 2026થી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી રહી છે. આ પહેલનો મુખ્ય હેતુ ખેડૂતોને તેમના…