ગુજરાત : હોટેલ, રેસ્ટોરન્ટ અને શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક ગેસ કનેક્શન આપવાનો મુખ્યમંત્રીનો આદેશ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યમાં પીએનજી ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની હાલની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો કે રાજ્યના એવા વિસ્તારોમાં જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટેનું પાઈપલાઈન નેટવર્ક ઉપલબ્ધ છે, ત્યાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ, શૈક્ષણિક અને સામાજિક-ધાર્મિક સંસ્થાઓ દ્વારા પીએનજી કનેક્શન માટેની માગણી કરવામાં આવે તો તેમને તાત્કાલ કનેક્શન આપવામાં આવશે.

બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષામાં જણાવાયું કે રાજ્યમાં પીએનજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઘરોએ ઘરોમાં પાઈપલાઇન મારફતે ગેસ સરળતાથી મેળવી રહ્યો છે.

મુખ્‍य સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અન્ન નાગરિક પુરવઠા અધિક મુખ્ય સચિવ મોના ખંધાર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, જીએસપીસીના એમડી અવંતિકા સચિવ અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા.

મુખ્યમંત્રીના આ આદેશથી રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ્સ અને રેસ્ટોરન્ટોને ગેસ કનેક્શન મેળવવામાં સરળતા આવશે અને વેપાર અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં અડચણો ઘટાડવામાં મદદ મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ખાડી વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકાર સક્રિય, દૂતાવાસ સાથે સંકલન તેજ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ખાડી વિસ્તારમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સક્રિય બની છે. વિદેશ મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગો દૂતાવાસો સાથે સતત સંકલન કરી…

હોર્મુઝ જળસંધિ પર ભારતીય જહાજોને મળી શકે સુરક્ષિત માર્ગ, ઈરાનનો સંકેત – ‘ભારત અમારો મિત્ર દેશ’

પર્શિયન ગલ્ફ વિસ્તારમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક ગણાતી હોર્મુઝ જળસંધિ અંગે ઈરાન તરફથી ભારત માટે સકારાત્મક સંકેત…