ઈરાન-ફ્રાન્સ વિવાદ: હોર્મુઝ જળમાર્ગ બંધ, મેક્રોને ઈરાનને આપી ચેતવણી

અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓ બાદ હવે ઈરાન અને ફ્રાન્સ વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાનએ વિશ્વના મુખ્ય જળમાર્ગ હોર્મુઝ (Strait of Hormuz) પરથી કોઈપણ કન્ટેનર અથવા માલ વાહન હવલાત રોકી દીધા છે, જેના કારણે ફ્રાન્સે ગુસ્સો વ્યક્ત કર્યો છે. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને ઈરાનને સોમવારે કડક શબ્દોમાં ચેતવણી આપી છે.

હોર્મુઝ જળમાર્ગ પર અસર
હોર્મુઝ જળમાર્ગ વિશ્વનો સૌથી મહત્વનો વેપારી માર્ગ છે અને તે બંધ થતાં તેલની કિંમતમાં ઝડપી વધારો થયો છે. આ કારણે અનેક દેશોના કન્ટેનરો ફસાઈ ગયા છે અને સપ્લાય ચેન પર ગહિરું પ્રભાવ પડી રહ્યો છે.

ઈરાનના સુરક્ષા અધિકારીની ટિપ્પણી
ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી અલી લારિજાનીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે, “અમેરિકા-ઈઝરાયલે ઈરાનમાં યુદ્ધ ભડકાવ્યું છે, જેના કારણે હોર્મુઝમાં કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત કરવી મુશ્કેલ થઈ ગઈ છે. હોર્મુઝ ખોલવાની યોજના યુદ્ધ સમર્થકો દ્વારા ચાલી રહી છે.”

ફ્રાન્સની યોજના
ફ્રાન્સ હોર્મુઝ જળમાર્ગમાં કન્ટેનર જહાજો અને તેલ ટેન્કરોની સુરક્ષા માટે સૈન્ય એસ્કોર્ટ મિશન શરૂ કરવા ઈચ્છે છે. જોકે, મધ્ય-પૂર્વમાં યુદ્ધ ચાલુ હોવાને કારણે આ ઓપરેશન હજુ શરૂ નથી થઈ શક્યું. હોર્મુઝ માર્ગ પરથી દૈનિક અંદાજે 20% વૈશ્વિક ક્રુડ તેલની સપ્લાય થાય છે, જેના કારણે હોર્મુઝ બંધ થવાથી વૈશ્વિક બજારમાં ઊંચી અસ્થીરતા જોવા મળી છે.

ફ્રાન્સના મિશનની યોજના રક્ષણાત્મક છે અને તેમાં યુરોપ અને અન્ય આંતરરાષ્ટ્રીય દેશો પણ સામેલ થઈ શકે છે. હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા અને ખોલવાની પ્રક્રિયા હવે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ રાજકીય અને આર્થિક ચર્ચાનો વિષય બની ગઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…