યુદ્ધની વચ્ચે ઈરાનના સમર્થનમાં રશિયા, પુતિનનું મોટું નિવેદન; નવા નેતા મોજતબા ખામેનેઇને અભિનંદન

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે રશિયાએ ઈરાનને ખુલ્લું સમર્થન આપ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે ચાલુ સંઘર્ષ વચ્ચે રશિયા ઈરાનની સાથે મજબૂતીથી ઉભું છે અને તેહરાનને તેમનું અટુટ સમર્થન ચાલુ રહેશે. સોમવારે આપેલા નિવેદનમાં પુતિને ઈરાનના નવા નેતા મોજતબા ખામેનેઇને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોજતબા ખામેનેઇ તેમના પિતા અયાતુલ્લાહ અલી ખામેનેઇના કાર્યને આગળ વધારશે અને ઈરાનના લોકોને એકજૂટ રાખશે.

પુતિને જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં ઈરાન સશસ્ત્ર હુમલાઓનો સામનો કરી રહ્યું છે અને આવી મુશ્કેલ સ્થિતિમાં નેતૃત્વ કરવું હિંમત અને પ્રતિબદ્ધતાની મોટી કસોટી છે. રશિયા આવા સમયે પોતાના ઈરાની મિત્રોની સાથે એકતા દર્શાવે છે અને દરેક મુશ્કેલીમાં ઈરાનની સાથે ઉભું રહેશે.

આ પહેલા પુતિને શુક્રવારે મોડી રાત્રે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઇ, તેમના પરિવારના સભ્યો, રાજકીય અને લશ્કરી નેતાઓ તથા અનેક નાગરિકોના મૃત્યુ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ દરમિયાન પુતિને યુક્રેન સંકટ મુદ્દે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા. સરકારી ટીવી કાર્યક્રમ “મોસ્કો, ક્રેમલિન, પુતિન” સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે યુક્રેનમાં સત્તા પરિવર્તન માટે પશ્ચિમી દેશોના સમર્થનથી આ સંઘર્ષની શરૂઆત થઈ હતી.

પુતિન મુજબ યુક્રેન સંકટની શરૂઆત તખ્તાપલટ માટે મળેલા બાહ્ય સમર્થનથી થઈ, ત્યારબાદ ક્રિમિયા સંબંધિત ઘટનાઓ અને પછી દક્ષિણ-પૂર્વ યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં થયેલા સંઘર્ષથી પરિસ્થિતિ વધુ ગંભીર બની. તેમણે દાવો કર્યો કે આ સમગ્ર સંકટમાં રશિયાની સીધી ભૂમિકા નથી, પરંતુ તે પશ્ચિમી નીતિઓનું પરિણામ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    2026 : Gujarat Rain Forecast : અમદાવાદમાં રાહત, સોમવારથી વરસાદ ઘટે તેવી શક્યતા Red Alert Lifted : IMD Rain Warning

    અમદાવાદ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદને રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું, સોમવારથી વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા. ગુજરાતમાં મેઘમહેર યથાવત, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ ચાલુ અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સક્રિય રહેલી વરસાદી સિસ્ટમની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે અમદાવાદ શહેરને હાલ રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા…

    હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

    હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…