યુદ્ધની વચ્ચે ઈરાનના સમર્થનમાં રશિયા, પુતિનનું મોટું નિવેદન; નવા નેતા મોજતબા ખામેનેઇને અભિનંદન

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે રશિયાએ ઈરાનને ખુલ્લું સમર્થન આપ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે ચાલુ સંઘર્ષ વચ્ચે રશિયા ઈરાનની સાથે મજબૂતીથી ઉભું છે અને તેહરાનને તેમનું અટુટ સમર્થન ચાલુ રહેશે. સોમવારે આપેલા નિવેદનમાં પુતિને ઈરાનના નવા નેતા મોજતબા ખામેનેઇને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મોજતબા ખામેનેઇ તેમના પિતા અયાતુલ્લાહ અલી ખામેનેઇના કાર્યને આગળ વધારશે અને ઈરાનના લોકોને એકજૂટ રાખશે.

પુતિને જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં ઈરાન સશસ્ત્ર હુમલાઓનો સામનો કરી રહ્યું છે અને આવી મુશ્કેલ સ્થિતિમાં નેતૃત્વ કરવું હિંમત અને પ્રતિબદ્ધતાની મોટી કસોટી છે. રશિયા આવા સમયે પોતાના ઈરાની મિત્રોની સાથે એકતા દર્શાવે છે અને દરેક મુશ્કેલીમાં ઈરાનની સાથે ઉભું રહેશે.

આ પહેલા પુતિને શુક્રવારે મોડી રાત્રે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનેઇ, તેમના પરિવારના સભ્યો, રાજકીય અને લશ્કરી નેતાઓ તથા અનેક નાગરિકોના મૃત્યુ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ દરમિયાન પુતિને યુક્રેન સંકટ મુદ્દે પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા. સરકારી ટીવી કાર્યક્રમ “મોસ્કો, ક્રેમલિન, પુતિન” સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે યુક્રેનમાં સત્તા પરિવર્તન માટે પશ્ચિમી દેશોના સમર્થનથી આ સંઘર્ષની શરૂઆત થઈ હતી.

પુતિન મુજબ યુક્રેન સંકટની શરૂઆત તખ્તાપલટ માટે મળેલા બાહ્ય સમર્થનથી થઈ, ત્યારબાદ ક્રિમિયા સંબંધિત ઘટનાઓ અને પછી દક્ષિણ-પૂર્વ યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં થયેલા સંઘર્ષથી પરિસ્થિતિ વધુ ગંભીર બની. તેમણે દાવો કર્યો કે આ સમગ્ર સંકટમાં રશિયાની સીધી ભૂમિકા નથી, પરંતુ તે પશ્ચિમી નીતિઓનું પરિણામ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

“પ્રચારે તો હદ કરી ભાઇ” – ગુજરાતનાં મતદારોની મનોવ્યથા

પ્રશ્ન અહીં એ છે કે જ્યારે કોઇ પણ પક્ષ લાંબા અને તે પણ જો બે-ત્રણ દસકાથી સત્તામાં હોય તો એન્ટીઇન્કમબસી હોય જ છે અને તે સ્વાભાવી છે સાથે સાથે તમામ પક્ષો પણ જાણે જ છે. તો પછી સત્તાપક્ષ જે પ્રશ્નો ને કારણે ડિફેન્સની સ્થિતિમાં મુકાય છે તે પ્રશ્નને એટેન્ડ કરવા કે મેનેજ કરવા સક્ષમ હોય તેવા નેતા કે કાર્યકરને કેમ ટીકીટ નથી આપતી તે એક પ્રશ્ન સત્તાપક્ષને અને પ્રજાનાં પ્રશ્નો આટલી હદે છે કે હતા તો તે મામલે વિપક્ષે શું કર્યુ અથવા તો સ્થાનિક મુદ્દા કેમ કોઇ જગ્યા પર ચર્ચા વિચારણામાં આવ્યા કે લેવામાં આવ્યા નહીં, તે એક પ્રશ્ન વિપક્ષને.

વર્લ્ડ બુક ડે પર “યુનાઇટિંગ રીડર્સ” પહેલ: વાંચન દ્વારા એકતા અને જ્ઞાનનું ઉજાસ ફેલાવતો કાર્યક્રમ

અમદાવાદ, (23 એપ્રિલ 2026) : વર્લ્ડ બુક ડેના અવસરે કર્મા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ બુક ક્લબ (ABC) અને ગુજરાતી બુક ક્લબ (GBC) ના સહયોગથી “યુનાઇટિંગ રીડર્સ” શીર્ષક હેઠળ એક અર્થસભર અને…