Junagadh :ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઇ

કૃતાર્થ વૈષ્ણવ, જૂનાગઢ : જુનાગઢ ખાતે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક યોજાઇ હતી. જેમાં વિષયતજજ્ઞો, યુનિ.નાં ડિપાર્ટમેન્ટનાં અધક્ષ્ય, ડો. મયંક સોની સહિત ડીન, સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક દરમિયાન પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણએ જણાવ્યું હતું કે, સત્ય સામેથી છાત્ર પાસે જાય તેવી અપેક્ષા રાખી શકાય નહીં. કોઇપણ નવિનત્તમ જ્ઞાન યુનિ.નાં બાળકોને મળી રહે તેજ બોર્ડ ઓફ સ્ટડીઝની ભુમીકા છે.

ભારતિય જ્ઞાન પરંપરામાં ઋષિકુળથી સાંપ્રત સમય સુધી શિક્ષણનો આત્મા તો એ જ છે, સત્ય તો એ જ છે, અધ્યાત્મ તો એ જ છે, મૂલ્યો પણ એ જ છે, નૈતિક ખ્યાલો પણ એ જ છે, શુચિતાભર્યું પવિત્ર જીવન કે એવા ખ્યાલો પણ એ જ છે, જ્ઞાનની પવિત્રતા પણ એ જ છે, જ્ઞાનની મહત્તા પણ એ જ છે, માણસ સમયે સમયે આ બુનિયાદી બાબતો સાથે બાંધછોડ કરતો રહ્યો છે. માણસની જાણ બહાર જ પછી માણસ, તેનો સમાજ, સઘળું બદલાતું જાય છે, વર્તણૂંકમાં નવાં ગણિતો ગણતો જાય છે પણ આગળ જવાની લ્હાયમાંને લ્હાયમાં તેની પેલી મૂલ્ય પરંપરાઓ, જ્ઞાન પરંપરાઓથી તે ફંટાઈ જાય છે, અને છેવટે સ્થિતિ એવી આવે કે તે ફંગોળાઈ પણ રહે છે. આવી ફંગોળાવાની સ્થિતિ આવે તે પહેલાં માણસે જાગી જવું જોઈએ, સબળ જ્ઞાન પરંપરાઓને પુનર્જીવિત કરવા, તેને ચુસ્તપણે અનુસરવા કૃતનિશ્ચયી બનવું પડે, એ માર્ગે ગતિ કરવા સંકલ્પબદ્ધ બનવું પડે. આવી વાત આજે ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલયનાં કૂલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી ચૈાહાણે રસાયણ શાસ્ત્ર, જીવ વિજ્ઞાન અને અન્ય વિષયોનાં બોર્ડ ઓફ સ્ટડીઝનાં સભ્યોને સંબોધતા જણાવ્યુ હતુ.

પ્રો. પ્રતપસિંહજી ચૈાહાણે આજની શિક્ષણ વ્યવસ્થા, અભ્યાસ માળખામાં રીચર્સ જન્ય બદલાવોની સમાવેશ પર વાત કતરા જણાવ્યુ હતુ કે આપણી ભારતિય જ્ઞાન પ્રણાલીએ વિશ્વને શાંતિપાઠ આપ્યો છે. જે આકાશમાં, અંતરિક્ષમાં, પૃથ્વીમાં, જળમાં, વૃક્ષમાં, પ્રકૃતિમાં, બ્રહ્મ અને સઘળે માત્રને માત્ર શાંતિ ઇચ્છે છે. આ જ્ઞાને આપણને યુગોથી શીખવ્યું છે કે સૌનું સમાન ધ્યેય હોય સૌનો એક વિચાર હોય, સૌનું એક મન હોય, સૌની પ્રાર્થના કેવળ એકત્વ માટેની હોય, સૌનો વિચાર ભ્રાતૃભાવભર્યો રહ્યો હોય. સૌની કામના સંવાદ-સંવાદિતા માટેની હોય, સૌનો નિર્ધાર પ્રેમ અને ભાઈચારા માટેનો જ હોય. આપણુ પ્રચિન જ્ઞાન ઋષિઓનાં નિરીક્ષણોનું, અનુભવોનું, પ્રકૃતિ-પૃથ્વી-આકાશ-બ્રહ્મ અને આત્મા સાથેના એકત્વનું એ પરિણામ છે. આવું જ્ઞાન માણસને મુક્તિબોધ શીખવે છે, આવું ગાન માણસને આત્મબોધ કરાવે છે, અને આવું જ્ઞાન વિશ્વબોધ પણ કરાવે છે. આઈન્સ્ટાઈનને એવું જ્ઞાન જ વિશ્વને શાંતિ ભણી દોરી જવાની સંભાવનાવાળું લાગ્યું છે. બર્ટ્રાન્ડ રસેલને આવા જ્ઞાનમાં ભરી ભરી મનુષ્યજાતનાં દર્શન થયા છે.બોર્ડ ઓફ સ્ટડીઝ બી વિષયવાર યોજાઇ રહેલી બેઠકોમાં વિષયતજજ્ઞો, યુનિ.નાં ડિપાર્ટમેન્ટનાં અધક્ષ્ય, ડો. મયંક સોની સહિત ડીન, સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…

ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…