રેલવે ગ્રુપ Dમાં 21,997 પદો માટે ભરતી શરૂ, 10મું ધોરણ પાસ ઉમેદવારો અરજી કરી શકે

રેલવે ભરતી બોર્ડે ગ્રુપ Dની 21,997 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરી છે. આ ભરતીમાં 10મું ધોરણ પાસ ઉમેદવારો ફોર્મ ભરવા માટે લાયક છે. અરજી પ્રક્રિયા ઓનલાઇન શરૂ થઈ ગઈ છે, જે 31 જાન્યુઆરી 2026થી શરૂ થઈ અને 2 માર્ચ 2026 સુધી ચાલશે.

એક જ ઝોન માટે અરજી
ઉમેદવારો ફક્ત એક જ રેલવે ઝોન માટે અરજી કરી શકે છે. એકથી વધુ ઝોન પસંદ કરવાથી અરજી રદ કરવામાં આવશે. એક જ ઝોનમાં મલ્ટિપલ જગ્યાઓ માટે અલગ ફોર્મ ભરવાની જરૂર નથી. દરેક જગ્યાની પસંદગી એક જ ફોર્મમાં આપવી પડશે. ફોર્મ સબમિટ કર્યા પછી ઝોન બદલવાનો વિકલ્પ ઉપલબ્ધ નહીં રહેશે.

વય મર્યાદા અને છૂટછાટ
– મિનિમમ ઉંમર: 18 વર્ષ
– મૅક્સિમમ ઉંમર: 33 વર્ષ (1 જાન્યુઆરી 2026ના રોજ ગણવામાં આવશે)
– OBC કેટેગરી માટે 3 વર્ષની છૂટછાટ
– SC/ST કેટેગરી માટે 5 વર્ષની છૂટછાટ

પસંદગી પ્રક્રિયા

1. Computer Based Test (CBT):
– સમયગાળો: 90 મિનિટ
– પ્રશ્નો: 100
* જનરલ સાયન્સ: 25
* ગણિત: 25
* રિઝનિંગ: 30
* કરંટ અફેર્સ: 20
* નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે

2. Physical Efficiency Test (PET):
– પુરુષ: 35 કિલો વજન સાથે 100 મીટર ચાલવું અને નક્કી કરેલા સમયે 1000 મીટર દોડ
– મહિલા: વજન અને સમય મર્યાદા અલગ

3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ

પગાર અને ફી
પગાર: લેવલ 1 હેઠળ ₹18,000 પ્રતિ મહિનો
અરજી ફી:
– જનરલ, OBC, EWS: ₹500 (પરીક્ષા બાદ ₹400 પરત)
– SC/ST અને મહિલાઓ: ₹250 (પરીક્ષા બાદ સંપૂર્ણ રિફંડ)

ઉમેદવારોને વિનંતી છે કે ફોર્મ ભરતી વખતે દરેક વિગતો સાવધાનીપૂર્વક ભરી અને છેલ્લી તારીખ પહેલાં સબમિટ કરે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દિલજીત દોસાંજનો કેનેડામાં દબદબો: ખાલિસ્તાની ઝંડા લહેરાવનારાઓને સ્ટેજ પરથી ચેતવણી

કેનેડામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થનમાં સૂત્રોચ્ચાર કરનારા કેટલાક લોકો સામે કડક વલણ અપનાવીને ચર્ચાનો વિષય બની ગયો છે. કોન્સર્ટ દરમિયાન બનેલી આ ઘટના હવે સોશિયલ…

લેન્ડિંગ સમયે ઈમરજન્સી ગેટ ખોલીને મુસાફરે લગાવી છલાંગ, Chennai International Airport પર હાઈ એલર્ટ

રવિવારની વહેલી સવારે ચેન્નાઇના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. શારજાહથી આવેલી Air Arabiaની ફ્લાઇટમાં એક મુસાફરે લેન્ડિંગ બાદ ઈમરજન્સી ગેટ ખોલીને વિમાનમાંથી કૂદી પડતા હાહાકાર મચી ગયો…