ઇમરાન ખાનની આંખનું ગુપ્ત રીતે કરાયું ઓપરેશન, ત્રણ કલાક સુધી ચાલી સર્જરી

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને હાલ જેલમાં બંધ ઇમરાન ખાનની આંખની સર્જરી ગુપ્ત રીતે કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. પાકિસ્તાનના માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારએ ગુરુવારે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ઇમરાન ખાનની હાલત સંપૂર્ણપણે સ્થિર છે અને તેમને કોઈ ગંભીર આરોગ્ય સંકટ નથી.

73 વર્ષીય ઇમરાન ખાન હાલમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે. ગયા અઠવાડિયે આંખમાં તકલીફની ફરિયાદ બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ દાવો કર્યો હતો કે ઇમરાન ખાનને આંખની ગંભીર બીમારી છે.

સમર્થકો અને પરિવારજનોમાં ચિંતા
પીટીઆઈના અહેવાલ મુજબ, ઇમરાન ખાનને જમણી આંખમાં સેન્ટ્રલ રેટિના વેઇન ઓક્લુઝન હોવાનું નિદાન થયું છે, જે આંખની નસમાં અવરોધ સર્જે છે. જોકે, ઇમરાન ખાનની બહેન નૂરીન ખાને આ દાવાને નકારી કાઢતા કહ્યું હતું કે તેમના ભાઈને આંખની કોઈ ગંભીર બીમારી નથી.

નૂરીન ખાને આરોપ લગાવ્યો હતો કે ઇમરાન ખાનને સારવારના બહાને રાત્રિના અંધારામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને સ્પષ્ટ માહિતી આપ્યા વિના લગભગ ત્રણ કલાક બાદ ફરીથી જેલમાં પરત લાવવામાં આવ્યા હતા, જેના કારણે પરિવાર અને સમર્થકોમાં ચિંતા ફેલાઈ હતી.

કેવી રીતે કરાઈ સારવાર?
અલ-કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠરાવવામાં આવેલા ઇમરાન ખાનને શરૂઆતમાં અદિયાલા જેલમાં જ તબીબી તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ડોકટરોની સલાહ અનુસાર, તેમને શનિવારે રાત્રે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ ઈસ્લામાબાદ સ્થિત પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

માહિતી પ્રધાન અતાઉલ્લાહ તરારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ઇમરાન ખાનની આંખોની વિસ્તૃત તપાસ અને જરૂરી સારવાર કરવામાં આવી હતી. સર્જરી લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી, ત્યારબાદ તેમને ફરીથી જેલમાં ખસેડવામાં આવ્યા હતા. સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઇમરાન ખાનની તબિયત હાલમાં સ્થિર છે અને તેમને જરૂરી તબીબી દેખરેખ આપવામાં આવી રહી છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દેશભરમાં મેઘતાંડવ યથાવત, હિમાચલથી કેરળ સુધી ભારે વરસાદનો કહેર : અનેક રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલન

દેશભરમાં ચોમાસું હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ક્યાંક ભૂસ્ખલન, ક્યાંક મકાન ધરાશાયી થવાની ઘટનાઓ તો ક્યાંક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત અનેક રાજ્યોમાં વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. હિમાચલ પ્રદેશમાં સૌથી વધુ તબાહી હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધી વરસાદ સંબંધિત દુર્ઘટનાઓમાં 64 લોકોના મોત થયા છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના જણાવ્યા મુજબ ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરના કારણે રાજ્યમાં અત્યાર સુધી અંદાજે 797 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે રાજ્યના 120 રસ્તાઓ બંધ થઈ…

‘ગોબરધન’ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી, 23,731 કરોડના ખર્ચે દેશભરમાં શરૂ થશે 700 સુધીના બાયોગેસ પ્લાન્ટ

દેશમાં સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે 23,731 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) માટેની રાષ્ટ્રીય એકીકૃત ‘ગોબરધન’ યોજનાને મંજૂરી આપી છે. સરકારનો હેતુ આગામી દાયકામાં દેશમાં CBGનું ઉત્પાદન લગભગ દસ ગણું વધારવાનો અને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફ વધુ એક મોટું પગલું ભરવાનો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 ઓગસ્ટે વિશ્વ જૈવ-ઈંધણ દિવસના અવસરે આ યોજનાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી શકે છે. આ યોજના હેઠળ દેશભરમાં મોટા પાયે બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને કૃષિ અને પશુપાલન ક્ષેત્રને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવશે. શું છે ‘ગોબરધન’ યોજના? ‘ગોબરધન’ એટલે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ ધન (Galvanizing Organic Bio-Agro Resources Dhan) યોજના. તેની શરૂઆત વર્ષ 2018માં…