કેનેડા-બ્રિટન અને અમેરિકા બાદ યુરોપમાં ખાલિસ્તાનીઓએ જાગ્રેબના ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો

અત્યાર સુધી કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં સક્રિય રહેલા ખાલિસ્તાની સમર્થકો હવે યુરોપમાં પણ પોતાની ગતિવિધિઓ વધારી રહ્યા છે. તાજા ઘટનામાં, ક્રોએશિયાની રાજધાની જાગ્રેબમાં ભારતીય દૂતાવાસ પર ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ તોડફોડ કરી છે. આ ઘટના પરથી ભારત સરકારે તાત્કાલિક કડક પ્રતિક્રિયા આપી છે અને ક્રોએશિયા સરકાર સમક્ષ કડક વિરોધ નોંધાવ્યો છે.

ઘટના શું થઈ?
અહેવાલો મુજબ, પ્રતિબંધિત આતંકી સંગઠન ‘સિક્સ ફોર જસ્ટિસ’ (SFJ) સાથે જોડાયેલા કેટલીક અસામાજિક તત્ત્વોએ દૂતાવાસની સુરક્ષા ભંગ કરી હતી. તેઓએ:
– દૂતાવાસ પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો
– દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા
– ભારતીય તિરંગાને ઉતારી ખાલિસ્તાની ધ્વજ લગાવવાનો પ્રયાસ કર્યો
– પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે આ હુમલો સંપૂર્ણપણે ભયજનક અને દૂતાવાસની સુરક્ષા માટે ગંભીર ચેતવણીરૂપ છે.

ભારતની પ્રતિક્રિયા
ભારતીય વિદેશ મંત્રાલયે આ ઘટનાની સખત નિંદા કરી છે. મંત્રાલયે જણાવ્યું કે નવી દિલ્હી અને જાગ્રેબ સ્તરે ક્રોએશિયાના અધિકારીઓને કાયદેસર આ મામલો રજૂ કર્યો છે. આ કૃત્ય કરનારા તત્ત્વો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વિયેના સંધિના નિયમો મુજબ કોઈપણ રાજદ્વારી પરિસરમાં પરવાનગી વગર પ્રવેશ ગેરકાયદેસર છે અને એ યજમાન દેશની પ્રાથમિક જવાબદારી છે.

યુરોપ માટે ખતરો વધ્યો
આ ઘટના એ વાત સૂચવે છે કે ખાલિસ્તાની ગતિવિધિઓ હવે માત્ર “ફાઇવ આઇઝ” દેશો સુધી મર્યાદિત નથી રહી, પરંતુ યુરોપિયન દેશોમાં પણ હુમલાના જોખમ વધ્યો છે.

પ્રજાસત્તાક દિવસ પહેલાં ચેતવણી
26 જાન્યુઆરીના રોજ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી યોજવાની છે. ગુપ્તચર એજન્સીઓની માહિતી પ્રમાણે, SFJના વડા ગુરપતવંત સિંહ પન્નુ અને તેમના સાથીઓ ભારત વિરુદ્ધ હિંસા અને અસામાજિક માહોલ બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોવાનું ઉલ્લેખ મળ્યો છે. ભારત સરકારે યુરોપીય દેશોને પણ દૂતાવાસની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આવા તત્ત્વો સામે કડક પગલાં લેવા ચેતવણી આપી છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચાંદીમાં ₹15000નો ધડાકો, સોનામાં ₹8000ની ગિરાવટ ,શું છે કારણ?

વૈશ્વિક બજારમાં હાલ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ખાસ કરીને ઈરાન સાથે વધતા યુદ્ધના તણાવ વચ્ચે સોનું અને ચાંદીના ભાવમાં અચાનક ભારે ઘટાડો નોંધાયો છે. 23 માર્ચ 2026 ના…

B INDIA કૃષિ રત્ન એવોર્ડ – 2026 : “ખેતરથી ખ્યાતિ સુધીની સફરનું સન્માન”

એક જ મંચ… પાંચ દિગ્ગજ… અને ગુજરાતના ખેડૂતોનું સન્માન કૃષિ ક્રાંતિના આ પ્રેરણાદાયી નેતાઓની ગરિમામય ઉપસ્થિતિમાં, યોજાશે કૃષિ રત્નોનો સન્માન સમારોહ.. 25 માર્ચ 2026ના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટ, અમદાવાદ સાંજે…