તિબેટ ભૂકંપથી હચમચી ગયું, 3.5ની તીવ્રતા નોંધાઈ

તિબેટમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ છે. આ ભૂકંપ ભારતીય સમય મુજબ રાત્રે 8:29 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર જમીનથી અંદાજે 10 કિલોમીટર ઊંડાઈએ હતું.

NCS દ્વારા X (ટ્વિટર) પર શેર કરેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ 28.51 ઉત્તર અને રેખાંશ 87.57 પૂર્વ વિસ્તારમાં આવેલું હતું. ભૂકંપ પછી હાલ સુધી કોઈ જાનહાનિ કે મોટાં નુકસાનના અહેવાલ મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે તિબેટમાં આ પહેલાં પણ ભૂકંપીય પ્રવૃત્તિ નોંધાઈ ચૂકી છે. 5 ડિસેમ્બરે અહીં 3.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નિષ્ણાતો જણાવે છે કે છીછરા ભૂકંપ સામાન્ય રીતે વધુ ખતરનાક હોય છે, કારણ કે તેનાથી ઉત્પન્ન થતા તરંગો સપાટી સુધી ઓછા અંતરે પહોંચે છે અને જમીન પર વધુ કંપન સર્જે છે, જેના કારણે ઇમારતોને નુકસાન અને જાનહાનિની શક્યતા વધી જાય છે.

તિબેટીયન ઉચ્ચપ્રદેશ ટેક્ટોનિક પ્લેટોના અથડામણના કારણે ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. તેથી આ વિસ્તારમાં વારંવાર હલકા થી મધ્યમ તીવ્રતાના ભૂકંપ નોંધાતા રહે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

રાજકોટ અને જસદણ તાલુકાના કુલ ૧૧૫ ગામના ૩,૪૮,૮૪૨ નાગરિકોને શુદ્ધ પાણી મળી રહ્યું છે: મંત્રીઈશ્વરસિંહ પટેલ

રાજકોટ : વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લાના રાજકોટ અને જસદણ તાલુકામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી…

વડનગર: અનુભવાત્મક જ્ઞાન કેન્દ્ર, ગૌ સંરક્ષણ અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકાસનું આદર્શ મોડલ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર, રાજ્યમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે માળખાગત વિકાસનું સંતુલિત મૉડલ ઊભું કરી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે…