કેન્દ્ર સરકારે સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશનનો નિર્ણય પાછો ખેચ્યો, જાણો શું છે કારણ

કેન્દ્ર સરકારે સંચાર સાથી એપ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. સરકારે જણાવ્યું છે કે ફોન પર આ એપનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત નથી. ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે X પર એક પોસ્ટ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ એપ માટે પ્રી-ઇન્સ્ટોલેશનની જરૂરિયાત દૂર કરવામાં આવી છે.

દેશના તમામ નાગરિકોને સાયબર સુરક્ષાના લાભો પૂરા પાડવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે બધા સ્માર્ટફોન પર સંચાર સાથી એપને પ્રી-ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો હતો. આ એપ સંપૂર્ણપણે સલામત છે અને તેનો હેતુ ફક્ત નાગરિકોને સાયબર ગુનેગારોથી બચાવવાનો છે… સંચાર સાથીની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, સરકારે મોબાઇલ ઉત્પાદકો માટે ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલેશન આવશ્યકતા દૂર કરવાનો નિર્ણય લીધો છે.

એપલે સરકારના નિર્ણયને પાલન કરવાનો ઇનકાર કર્યો
કેન્દ્ર સરકારના આ પગલાને એપલના નિર્ણય સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. 28 નવેમ્બરના રોજ સરકારનો આદેશ મળ્યા બાદ, સ્માર્ટફોન નિર્માતા એપલે તેનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ કહ્યું હતું કે આ પગલાથી આઇફોન યુઝર્સના વ્યક્તિગત ડેટા જોખમમાં મુકાઈ શકે છે.

1.4 કરોડ લોકોએ આ એપ ડાઉનલોડ કરી
સરકાર દ્વારા X પર જારી કરાયેલા એક નિવેદન અનુસાર, અત્યાર સુધીમાં 1.4 કરોડ લોકોએ આ એપ ડાઉનલોડ કરી છે અને દરરોજ લગભગ 2000 ઓનલાઈન છેતરપિંડીના કેસ નોંધાઈ રહ્યા છે. “એપ ડાઉનલોડ કરનારા યુઝર્સની સંખ્યા ઝડપથી વધી છે. એપને ફરજિયાત બનાવવાનો હેતુ વધુ જાગૃતિ ફેલાવવાનો હતો જેથી ઓછા ટેક-સેવી લોકો પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે. છેલ્લા એક દિવસમાં જ 6 લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી છે, જે સામાન્ય કરતા 10 ગણી વધુ છે. આ દર્શાવે છે કે લોકો તેમની સલામતી માટે આ એપ પર વિશ્વાસ કરી રહ્યા છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Vadnagar શર્મિષ્ઠા તળાવ મહાઆરતી અને પદયાત્રા: અમિત શાહે PM મોદીને ગણાવ્યા ‘ધ્રુવ તારા’ 76 Unyielding National Pride

Vadnagarના શર્મિષ્ઠા તળાવ પર મહાઆરતી બાદ પદયાત્રા: અમિત શાહે કહ્યું- PM મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે; GMERS સેવા કેમ્પથી સેવાકીય કાર્યક્રમોને વેગ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસને લઈને તેમના જન્મસ્થળ Vadnagarમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી, પદયાત્રા, હાટકેશ્વર મહાદેવના દર્શન તેમજ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવાયાત્રાને લઈને શહેરમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી યોજાઈ હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. Vadnagarમાં યોજાયેલા કાર્યક્રમોને વડાપ્રધાન મોદીના જાહેર જીવનના 25 વર્ષ અને સેવા-સમર્પણ સાથે જોડવામાં આવ્યા છે. ગુજરાતમાં 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાવાનું…

Vadnagarથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ: શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, Elite Push 2026

Vadnagarથી ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ: શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી, વડનગરથી વારાણસી બાઈક યાત્રાને ફ્લેગ ઓફ Vadnagar, 17 સપ્ટેમ્બર 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મહેસાણાના Vadnagar ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. શર્મિષ્ઠા તળાવના કિનારે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાઆરતી યોજાઈ હતી અને વડાપ્રધાનના દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વડનગરથી વારાણસી સુધીની બાઈક યાત્રાને પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. -> શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી : Vadnagar ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શર્મિષ્ઠા તળાવનું વિશેષ મહત્વ રહ્યું હતું. મહાનુભાવોએ તળાવના ઘાટ પર મહાઆરતીમાં ભાગ લીધો…