ખેડબ્રહ્મામાં આંજણા ચૌધરી સમાજના કુળદેવી અર્બુદા માતાજીનો 11 મો પાટોત્સવ યોજાયો

ખેડબ્રહ્મા ,જયેશ ઠાકોર/ શૈલેષ પટેલ : સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આંજણા ચૌધરી સમાજની કુળદેવી અર્બુદા માતાજી નો 11 મો પાટોત્સવ સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક યોજાયો. આજરોજ તારીખ 27-11-25 ને ગુરુવારના રોજ પટેલ માધાભાઈ શામળભાઈ સમાજ વાડીમાંથી સવારે 10:00 કલાકે અર્બુદા માતાજીની શોભા યાત્રા પ્રસ્થાન થઈ હતી. અર્બુદા માતા નો ફોટો સુંદર શણગારેલ રથમાં પ્રસ્થાપિત કરાયો હતો.

આ શોભાયાત્રા બ્રહ્માજી ચોક થઈ ગામ વિસ્તારના મુખ્ય માર્ગોમાં ફરી પરત સમાજવાડીમાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન રસ્તામાં ઠેર ઠેર અન્ય સમાજના લોકોએ પણ શોભાયાત્રા નું સ્વાગત કર્યું હતું અને માં અર્બુદા ના દર્શન કર્યા હતા.

આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ આર. પટેલ, પૂર્વ સાબર ડેરી ના વાઇસ ચેરમેન બ્રિજેશભાઈ પટેલ અર્બુદા મંડળના સભ્યો તથા વડીલો તથા શહેરના ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. સવારે ઉપસ્થિત સૌ ધર્મ પ્રેમી લોકોની પ્રસાદ પીરસાયો હતો. તથા સાંજે પટેલ સમાજવાડીમાં મહાપ્રસાદ આયોજન કરવામાં આવેલ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Tariff: ટ્રમ્પની સહી બાદ ભારત પર 100% ટેરિફનો ખતરો, રશિયન તેલથી શું અસર? Impose Danger

Tariff:ટ્રમ્પની સહી બાદ રશિયન તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફનો રસ્તો ખુલ્યો, ભારત પર શું પડશે અસર? Tariff નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બર 2026ના રોજ રશિયા અને ઈરાન સંબંધિત પ્રતિબંધોનો નવો કાયદો “Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026” સહી કરીને કાયદો બનાવ્યો છે. આ કાયદો અમેરિકન રાષ્ટ્રપતિને રશિયન તેલ અને ગેસના મોટા ખરીદદારો પાસેથી થતી આયાત સામે 100% સુધીના Tariffલાદવાની સત્તા આપે છે. ભારત રશિયન ક્રૂડના મોટા ખરીદદારોમાં હોવાથી નવી જોગવાઈનું ધ્યાન ભારત તરફ પણ ગયું છે. જોકે એક મહત્વની બાબત એ છે કે 100% Tariff હમણાંથી જ ભારત પર લાગુ થઈ ગયો નથી. કાયદો ટ્રમ્પને આવી કાર્યવાહી કરવાની સત્તા આપે છે; કયા દેશ સામે કેટલો Tariff લગાવવો અને…

Sabarmatiની ‘10-કોટડી’માં લૉરેન્સની દુનિયા: સેલમાં હનુમાનજી અને ભગત સિંહના ફોટા; 4-5 સેવાદારો, Prison Grip

Sabarmatiની ‘10-કોટડી’માં લૉરેન્સની દુનિયા: સેલમાં હનુમાનજી અને ભગત સિંહના ફોટા; 4-5 સેવાદારો, 3-4 ગાર્ડ તૈનાત અમદાવાદની Sabarmati સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જેલની ‘10-કોટડી’ તરીકે ઓળખાતી બેરેકમાં ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈને રાખવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. તેની સુરક્ષા અને દેખરેખ માટે જેલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. અહેવાલ મુજબ તેની સેલ આસપાસ 4થી 5 સેવાદારો અને 3થી 4 ગાર્ડ તૈનાત રહે છે.લૉરેન્સ બિશ્નોઈનું નામ દેશના અનેક હાઈ-પ્રોફાઇલ ગુનાકીય કેસોમાં ચર્ચામાં રહ્યું છે. જેના કારણે જેલમાં તેની સુરક્ષા અને અન્ય કેદીઓથી અલગ રાખવાની વ્યવસ્થાને લઈને પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. -> ‘10-કોટડી’માં સુરક્ષાની ખાસ વ્યવસ્થા : Sabarmati જેલની ‘10-કોટડી’માં લૉરેન્સ બિશ્નોઈને રાખવામાં આવ્યો હોવાના અહેવાલ…