ખેડબ્રહ્મામાં આંજણા ચૌધરી સમાજના કુળદેવી અર્બુદા માતાજીનો 11 મો પાટોત્સવ યોજાયો

ખેડબ્રહ્મા ,જયેશ ઠાકોર/ શૈલેષ પટેલ : સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં આંજણા ચૌધરી સમાજની કુળદેવી અર્બુદા માતાજી નો 11 મો પાટોત્સવ સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં ધામધૂમ પૂર્વક યોજાયો. આજરોજ તારીખ 27-11-25 ને ગુરુવારના રોજ પટેલ માધાભાઈ શામળભાઈ સમાજ વાડીમાંથી સવારે 10:00 કલાકે અર્બુદા માતાજીની શોભા યાત્રા પ્રસ્થાન થઈ હતી. અર્બુદા માતા નો ફોટો સુંદર શણગારેલ રથમાં પ્રસ્થાપિત કરાયો હતો.

આ શોભાયાત્રા બ્રહ્માજી ચોક થઈ ગામ વિસ્તારના મુખ્ય માર્ગોમાં ફરી પરત સમાજવાડીમાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન રસ્તામાં ઠેર ઠેર અન્ય સમાજના લોકોએ પણ શોભાયાત્રા નું સ્વાગત કર્યું હતું અને માં અર્બુદા ના દર્શન કર્યા હતા.

આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ આર. પટેલ, પૂર્વ સાબર ડેરી ના વાઇસ ચેરમેન બ્રિજેશભાઈ પટેલ અર્બુદા મંડળના સભ્યો તથા વડીલો તથા શહેરના ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા. સવારે ઉપસ્થિત સૌ ધર્મ પ્રેમી લોકોની પ્રસાદ પીરસાયો હતો. તથા સાંજે પટેલ સમાજવાડીમાં મહાપ્રસાદ આયોજન કરવામાં આવેલ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 23 ઓગસ્ટે યોજાશે પરીક્ષા

ગુજરાત પોલીસમાં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડની જાહેરાત મુજબ આગામી 23 ઓગસ્ટે અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 17 ઓગસ્ટના બપોરે 2 વાગ્યાથી ગુજરાત સરકારની OJAS વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર મેળવી શકશે. ગુજરાતમાં ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તારીખો જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પરીક્ષાની તારીખ સાથે ઉમેદવારો માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જે ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં સામેલ છે તેમણે સમયસર કોલ લેટર ડાઉનલોડ કરીને તેમાં આપવામાં આવેલી તમામ વિગતો ચકાસી લેવી પડશે. કોલ લેટરમાં પરીક્ષા કેન્દ્ર, સમય,…

CRPF કેમ્પ 2026 : આસામ CRPF કેમ્પ ઘટના : આસામમાં CRPF જવાને બે સાથીદારોની હત્યા કરી પોતે કર્યો આપઘાત Shocking

આસામના CRPF કેમ્પમાં ફરજ દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં એક જવાને બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. ઘટનામાં ત્રણેયના મોત થયા. તપાસ શરૂ કરવામાં આવી છે. આસામના CRPF કેમ્પમાં ગોળીબારની ગંભીર ઘટના, ત્રણ જવાનોના મોતથી સુરક્ષા દળોમાં શોક આસામમાંથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) સંબંધિત એક અત્યંત દુઃખદ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં આવેલા એક CRPF કેમ્પમાં ફરજ પર તૈનાત એક જવાને અચાનક પોતાના બે સાથી જવાનો પર ગોળીબાર કર્યો. આ હુમલામાં બંને જવાનોના મોત થયા હતા. ત્યારબાદ તે જવાને પોતાને પણ ગોળી મારી દીધી, જેના કારણે તેનું પણ મોત થયું. આ ઘટનાએ સમગ્ર સુરક્ષા દળોમાં શોકની લાગણી ફેલાવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઘટના ફરજ દરમિયાન કેમ્પની અંદર બની હતી. ગોળીબારના અવાજ…