અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ, ટ્રસ્ટે રામભક્તોને આપી ખુશખબર

સદીઓ સુધી ચાલેલા વિવાદ અને સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યનું અંતિમ ચરણ પૂર્ણ થઈ ગયું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ સંબંધિત માહિતીને જાહેર કરતા તમામ રામભક્તોને ખુશખબર આપી છે.

ટ્રસ્ટે જણાવ્યું છે કે મંદિરના તમામ મુખ્ય કાર્યો પૂર્ણ થઈ ગયા છે, જેમાં મુખ્ય મંદિર ઉપરાંત પરકોટાના 6 મંદિરો — ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, સૂર્યદેવ, દેવી ભગવતી અને દેવી અન્નપૂર્ણા, તેમજ શેષાવતાર મંદિર પણ પૂર્ણ થઈ ચૂક્યા છે. તમામ મંદિરો પર ધ્વજદંડ અને કળશ સ્થાપિત થઈ ચુક્યા છે.

સપ્ત મંડપ અને અન્ય મંદિરોનો નિર્માણ પૂર્ણ
ટ્રસ્ટે વધુમાં જણાવ્યું છે કે સપ્ત મંડપ, મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, શબરી અને ઋષિ પત્ની અહલ્યાના મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. ઉપરાંત, સંત તુલસીદાસ મંદિર, જટાયુ અને ખિસકોલીની પ્રતિમાઓ પણ સ્થાપિત કરી દેવામાં આવી છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, દર્શનાર્થીઓની સુવિધા અને વ્યવસ્થા સાથે સંબંધિત તમામ કાર્યો પૂર્ણ થઈ ચૂક્યા છે.

હાલ ચાલતા કાર્ય
ટ્રસ્ટે કહ્યું છે કે હાલની કામગીરીમાં રસ્તા અને ફ્લોરિંગ પર પથ્થર લગાવવાનું કાર્ય L&T દ્વારા ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. તેમજ ભૂમિ સૌંદર્યીકરણ, હરિયાળી અને લેન્ડસ્કેપિંગ સહિત 10 એકરમાં પંચવટીનું નિર્માણ GMR દ્વારા ચાલું છે.

જેના કાર્યનો સીધો સંબંધ જનતા સાથે નથી તે હાલ ચાલતું છે, જેમ કે:
– 3.5 કિલોમીટર લાંબી ચારદીવારી (Compound Wall)
– ટ્રસ્ટ કાર્યાલય
– અતિથિ ગૃહ (Guest House)
– સભાગાર (Auditorium)
ટ્રસ્ટે જણાવ્યા મુજબ, આ કાર્ય પૂર્ણ થયા પછી દર્શનાર્થીઓ માટે મંદિરના તમામ ભાગો સુવિધાજનક અને સુંદર રીતે તૈયાર થઈ ગયા છે.

ટ્રસ્ટનો સંદેશ:
શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે તમામ રામભક્તોને અભિનંદન પાઠવી કહ્યું છે કે આ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થવાને કારણે તેઓ હવે પૂજા અને દર્શન માટે આનંદ અને શ્રદ્ધાપૂર્વક આસ્થાપૂર્વક આવી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ભારત માટે રાહત: LPG ટેન્કર ‘સર્વ શક્તિ’એ Strait of Hormuz સુરક્ષિત રીતે પાર કર્યું

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારત માટે ગેસ લઈને આવતું MT ‘સર્વ શક્તિ’ જહાજ સફળતાપૂર્વક સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ચૂક્યું છે. સરકારના…

ઈરાન તણાવ વચ્ચે ઈઝરાયેલની તાકાતમાં વધારો, અમેરિકા પાસેથી અદ્યતન ફાઈટર જેટ ખરીદશે

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયલે પોતાની સૈન્ય શક્તિ મજબૂત બનાવવાનો મોટો નિર્ણય લીધો છે. ઈઝરાયેલ હવે United States પાસેથી F-35I અને F-15IA જેવા અદ્યતન ફાઈટર જેટના વધુ બે…