બોલિવૂડના દિગ્ગજ કોમેડી અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધન

દિવાળીના પાવન અવસરે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બૉલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડી કલાકાર અસરાની (Asrani) નો લાંબી બીમારી પછી ૮૪ વર્ષની વયે અવસાન થયું છે.

ફેફસાંની સમસ્યાના કારણે હતા હોસ્પિટલમાં
અહેવાલ અનુસાર, અસરસાની છેલ્લા કેટલાક દિવસોથી ફેફસાંની ગંભીર સમસ્યાથી પીડાતા મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ છેલ્લા ૫ દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે સોમવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધો.

અંતિમ વિદાય અને સંસ્કાર
અસરાનીનું અંતિમ સંસ્કાર મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યો. જ્યાં તેમના પરિવારજનો, મિત્રો અને કલાકાર મિત્રો ઉપસ્થિત રહ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

અસરસાનીની જીવનયાત્રા અને કારકિર્દી
અસરાનીનો જન્મ 1 જાન્યુઆરી 1941ના રોજ જયપુરમાં થયો હતો. તેમણે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને રાજસ્થાન કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો. વર્ષ ૧૯૬૭ માં ‘હરે કાંચ કી ચુડીયા’ ફિલ્મથી બૉલિવૂડમાં પ્રવેશ કર્યો.

અસરાની પોતાની અનોખી કોમિક ટાઇમિંગ અને પ્રભાવશાળી અભિનયથી ફિલ્મી દર્શકોમાં ખૂબ લોકપ્રિય થયા. તેમણે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું, જેમાંથી ‘શોલે’ માં જેલરના પાત્રે તેમને ખાસ ઓળખ મળી. તેમની વારસામાં હાસ્ય અને મનોરંજન માટેના અમૂલ્ય યોગદાનની વાર્તા અવનવી રહેશે.

દેશભરમાં ચાહકોમાં શોક
અસરાનીના નિધનથી સમગ્ર ફિલ્મી જગત અને ચાહકોમાં શોક છવાયો છે. સોશિયલ મીડિયા પર તેઓને શ્રદ્ધાંજલિ અને શ્રેષ્ઠ કલાકાર તરીકે યાદ કરવામાં આવી રહ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દિલજીત દોસાંજનો કેનેડામાં દબદબો: ખાલિસ્તાની ઝંડા લહેરાવનારાઓને સ્ટેજ પરથી ચેતવણી

કેનેડામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થનમાં સૂત્રોચ્ચાર કરનારા કેટલાક લોકો સામે કડક વલણ અપનાવીને ચર્ચાનો વિષય બની ગયો છે. કોન્સર્ટ દરમિયાન બનેલી આ ઘટના હવે સોશિયલ…

લેન્ડિંગ સમયે ઈમરજન્સી ગેટ ખોલીને મુસાફરે લગાવી છલાંગ, Chennai International Airport પર હાઈ એલર્ટ

રવિવારની વહેલી સવારે ચેન્નાઇના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. શારજાહથી આવેલી Air Arabiaની ફ્લાઇટમાં એક મુસાફરે લેન્ડિંગ બાદ ઈમરજન્સી ગેટ ખોલીને વિમાનમાંથી કૂદી પડતા હાહાકાર મચી ગયો…