ગુજરાતીઓને ધનતેરસે 7737 કરોડ રૂપિયાની ભેટ આપતા મુખ્યમંત્રી, દરેક રોડ બનશે ચકાચક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધનતેરસના પર્વે ગુજરાતની જનતાને 7737 કરોડ રૂપિયાનું ભેટ સ્વરૂપે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના અનેક કામોની જાહેરાત કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 124 નવા રોડ અને પુલનાં કામો માટે વિશાળ બજેટ ફાળવવામાં આવ્યું છે.

9 હાઈસ્પીડ કોરિડોર માટે 5576 કરોડ
ગુજરાતને વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક ટ્રાન્સપોર્ટ આપે તેવા 809 કિલોમીટર લંબાઈના 9 હાઈસ્પીડ કોરિડોરના નિર્માણ માટે રૂ. 5576 કરોડ ફાળવવામાં આવ્યા છે.

રાજ્યના છેવાડા સુધી પહોંચશે પકકા રસ્તાઓ
મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે રાજયના અંતિમ ગામડાઓ સુધી સારી કનેક્ટિવિટી આપતા મજબૂત અને ટકાઉ રસ્તાઓ બનાવવામાં આવે.

ક્યાં ક્યાં બનેશે નવા રોડ?
અહિં કેટલીક મુખ્ય રુટ્સ છે જ્યાં નવા રસ્તાઓ બનશે:
– બગોદરા – બોટાદ (92.23 કિ.મી.) – ₹67.43 કરોડ
– અમરેલી – મેંદરડા (67.30 કિ.મી.) – ₹158.6 કરોડ
– ઊંઝા – ભાભર (105.05 કિ.મી.) – ₹858.39 કરોડ
– દહેગામ – ઝાલોદ (167.54 કિ.મી.) – ₹1514.41 કરોડ
– અમદાવાદ – વિજયનગર (143.30 કિ.મી.) – ₹640.30 કરોડ
– દેવગઢ બારિયા – છોટા ઉદેપુર (64.05 કિ.મી.) – ₹1062.82 કરોડ

ક્લાઈમેટ રેઝિલિયન્ટ ટેક્નોલોજી સાથે નવા રસ્તાઓ
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે 271 કિ.મી.નાં 20 કામો માટે રૂ. 1147 કરોડ મંજૂર થયા છે, જેમાં રસ્તાઓ વેસ્ટ પ્લાસ્ટિક, ફ્લાય-એશ, જીઓ ગ્રીડ, ગ્રીન ટેકનોલોજી જેવી નવી ટેક્નિકથી બનાવાશે – જે વધુ મજબૂત અને ટકાઉ હશે.

સપાટી સુધારણા માટે 986 કરોડની મંજૂરી
રાજ્યના 803 કિ.મી.નાં રસ્તાઓની સપાટી સુધારવા માટે 986 કરોડ રૂપિયાની મંજૂરી પણ આપવામાં આવી છે.

ટ્રાન્સપોર્ટ, વેપાર અને પ્રવાસને મળશે નવી દિશા
આ નવા હાઈસ્પીડ કોરિડોર અને માળખાગત સુધારાઓથી રાજ્યમાં ટ્રાફિક મેનેજમેન્ટ સુધરશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે, તેમજ વેપાર અને પ્રવાસનને પણ મોટો ધક્કો મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મિડલ ઇસ્ટ સંકટ: પીએમ મોદીની હાઈ-લેવલ બેઠક, ઊર્જા સુરક્ષા પર ખાસ ધ્યાન

મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા…

કૃષિ ક્ષેત્રના યોગદાનને સલામ: ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’નો ભવ્ય સમારોહ

ભારત એક કૃષિપ્રધાન દેશ તરીકે ઓળખાય છે, અને તેમાં પણ ગુજરાત રાજ્ય કૃષિ ક્ષેત્રે નવીનતા, પ્રગતિ અને આત્મનિર્ભરતાના ઉત્તમ ઉદાહરણો પૂરાં પાડતું રહ્યું છે. ખેતી માત્ર રોજગારનું સાધન નથી, પરંતુ…