કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કે કાળી ચૌદસ આ વર્ષે 19 ઓક્ટોબર, રવિવારના રોજ ઉજવાશે. તાંત્રિક સાધના અને દુષ્ટ શક્તિઓના નિવારણ માટે આ રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસ અને રાત્રિ તંત્ર, મંત્ર અને યંત્ર સાધનાઓ માટે અત્યંત શક્તિશાળી ગણાય છે. ભક્તોએ મહાકાળી, ભૈરવ, હનુમાનજી જેવી શક્તિ રૂપ દેવી-દેવતાઓની પૂજા કરી શકો છો અને અનેક બાધાઓ દૂર કરી શકશો.
શુભ મુહૂર્ત – 19 ઓક્ટોબર, રવિવાર
– સવારે 8:05 થી 12:34 – લાભ, અમૃત
– સાંજે 6:09 થી 10:51 – શુભ, અમૃત
મુખ્ય તંત્ર-મંત્ર પ્રયોગો:
1. મહાકાળી મંત્ર સાધના (શત્રુ નાશ અને રક્ષણ માટે)
મંત્ર:
ૐ ક્રીં
ૐ ક્રીં કાલી નમઃ
ૐ ક્રીં કાલીકાયૈ નમઃ
3, 6 કે 9 માળા સંકલ્પ સાથે ઉચ્ચાર કરો.
2. મહાકાળી મંત્ર મંગલમય રક્ષણ માટે
મંત્ર:”જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલીની…”
3 માળા જાપથી શત્રુ બાધા દૂર થાય.
3. વિઘ્ન નિવારણ માટે હનુમાન મંત્ર
મંત્ર:ॐ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્ કુટુ સ્વાહા
રાત્રે લાલ વસ્ત્ર પહેરી 7 માળા કરવી.
4. કોર્ટ કચેરીથી મુક્તિ માટે હનુમાન ચાલીસા
ધૂપ દીપ સાથે 7 વખત હનુમાન ચાલીસા પઠન કરવું.
5. ભૂત પ્રેત અને શત્રુ બાધા નિવારણ માટે ભૈરવ મંત્ર
મંત્ર: ॐ હ્રીં ભૈરવ ભૈરવ ભયકરહરમ રક્ષ રક્ષ હું ફટ સ્વાહા
– કાળભૈરવની ઉપાસનાથી રાક્ષસ, પિશાચ વગેરેનો ભય નાશ પામે.
ખાસ સૂચના:
પ્રત્યેક સાધનાથી પહેલા શૌચ રાખવું, સ્વચ્છ વસ્ત્ર પહેરવું, દેવી-દેવતાને ધૂપ, દીપ, પુષ્પ, પ્રસાદ અર્પણ કરી પ્રયોગ કરવો.
શા માટે છે કાળી ચૌદસ ખાસ?
– તંત્ર-મંત્ર-યંત્ર સાધના માટે શ્રેષ્ઠ દિવસ
– દુષ્ટ શક્તિઓનું નાશ
– કોર્ટ કેસ, શત્રુ બાધા, આરોગ્ય સમસ્યા, આવકમાં વિઘ્ન જેવી મુશ્કેલીઓમાંથી મુક્તિ માટે અસરકારક
– ભગવાન હનુમાન અને કાળ ભૈરવની કૃપા મેળવવા માટે શ્રેષ્ઠ અવસર
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






