ભક્તો માટે ખુશખબર છે! હવે કેદારનાથ ધામ સુધીની 9 કલાકની ઊંહાળી યાત્રા માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા “કેદારનાથ રોપવે પ્રોજેક્ટ” હેઠળ સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9 કિમી લાંબો રોપવે બનાવાશે, જે ટૂંક સમયમાં યાત્રાળુઓ માટે ખુલ્લો મૂકાશે.
રોપવેથી યાત્રા થશે વધુ સરળ અને આરામદાયક
કેદારનાથ ધામ સુધીનો ટ્રેક 16 કિમી લાંબો છે અને તેમાં સામાન્ય રીતે યાત્રાળુઓને 8-9 કલાકનો સમય લાગે છે. હવે રોપવેની મદદથી યાત્રા માત્ર 35-40 મિનિટમાં થઈ શકશે. ભક્તોને ઊંચા પર્વતીય ચઢાણમાંથી મુક્તિ મળશે અને વરસાદ, ભૂસ્ખલન જેવી કુદરતી અવરોધો સામે પણ યાત્રા વધુ સલામત બનશે.
₹4,000 કરોડથી વધુના ખર્ચે બનશે રોપવે, અદાણી ગ્રુપે સંભાળ્યો પ્રોજેક્ટ
કેન્દ્ર સરકારે રોપવે પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી છે અને આ મહત્ત્વપૂર્ણ કાર્ય અદાણી ગ્રુપને સોંપ્યું છે. કંપની આગામી 5 વર્ષમાં રોપવેનું બાંધકામ પૂર્ણ કરવાની તૈયારીમાં છે અને આગામી 29 વર્ષ સુધી પ્રોજેક્ટનું સંચાલન અને જાળવણી પણ સંભાળશે. સમગ્ર રોપવે પરિયોજનાનું નિરીક્ષણ National Highways Logistics Management Ltd. દ્વારા કરવામાં આવશે.
મોનોકેબલ ગોંડોલા ટેકનોલોજીથી સુસજ્જ રોપવે
આ રોપવે Monocable Detachable Gondola Technology દ્વારા ચાલશે – જે સૌથી આધુનિક અને વિશ્વસનીય ટેકનોલોજી છે. આ ટેકનોલોજીથી રોપવે વધુ ઝડપથી ચાલશે, ભક્તો આરામથી મુસાફરી કરી શકશે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ એક સાથે પરિવહન કરી શકાશે.
ભારે વરસાદ કે ભૂસ્ખલન પછી પણ યાત્રા થશે શક્ય
ચોમાસામાં ઘણીવાર કેદારનાથ યાત્રા સ્થગિત કરવી પડે છે. યાત્રાળુઓ માટે પગપાળા કે ખચ્ચર સિવાય અન્ય વિકલ્પ ન હોય. પણ રોપવે કાર્યરત થયા પછી ચોમાસાની ઋતુમાં પણ યાત્રા ચાલુ રહી શકે છે, જેથી યાત્રાળુઓને વધુ અવરજવર અને સુવિધા મળશે.
યાત્રાળુઓની સંખ્યામાં પણ વધારો થવાની અપેક્ષા
હાલના આંકડાઓ મુજબ, કેદારનાથ યાત્રામાં દર વર્ષે આશરે 15થી 20 લાખ યાત્રાળુઓ પહોંચે છે. રોપવે સુવિધા મળતા ભવિષ્યમાં આ સંખ્યા દોગણી થઈ શકે છે. ઉપરાંત, આ યોજના પ્રવાસન વિકાસ, સ્થાનિક રોજગાર અને આર્થિક ગતિવિધિને પણ બળ આપશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






