ટેલિવિઝનની સૌથી લોકપ્રિય ટેલિવિઝન સીરિઝ “મહાભારત” માં કર્ણની યાદગાર ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા બનેલ અભિનેતા પંકજ ધીરનું અવસાન થયું છે. તેમના સહ-કલાકાર અને “મહાભારત” માં અર્જુન તરીકે કામ કરતા ફિરોઝ ખાને ઇન્સ્ટાગ્રામ પર આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. અભિનેતાનું અવસાન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકજને કેન્સર હતું, અને તે આ જંગ જીતી ગયો હતો. જોકે, છેલ્લા કેટલાક મહિનામાં તેનું કેન્સર પાછું આવ્યું. અભિનેતાની હાલત ખૂબ જ નાજુક હતી. આ રોગને કારણે તેની મોટી સર્જરી પણ થઈ હતી, પરંતુ અભિનેતાને બચાવી શકાયા નહીં. સોશિયલ મીડિયા પર પંકજના મૃત્યુના સમાચારથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે. ચાહકો પણ દુઃખી છે. ચાહકો અને સેલિબ્રિટીઓ આંસુભરી આંખો સાથે પંકજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
11.30 કલાકે લીધા અંતિમ શ્વાસ
પંકજ ધીરનું 15 ઓક્ટોબર, બુધવારના રોજ સવારે 11.30 વાગ્યે અવસાન થયું. આ અભિનેતા લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. આ સમાચારથી સમગ્ર ઉદ્યોગ અને તેમના ચાહકો શોકમાં ડૂબી ગયા છે. પંકજ ધીરના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લેમાં સાંજે 4.30 વાગ્યે કરવામાં આવશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






