હરિયાણાના ADGP વાયએસ પુરણે કર્યો આપઘાત, IAS પત્ની છે જાપાનના પ્રવાસે

હરિયાણાના ADGP રેન્કના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. તેમનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, તેમની પત્ની આઈએએસ અધિકારી અમનપીત પી. છે, જે હાલમાં એક પ્રતિનિધિમંડળ સાથે જાપાનમાં છે. વાય. પૂરણ કુમાર ચંદીગઢના સેક્ટર 11માં સરકારી નિવાસસ્થાનમાં રહેતા હતા. ઘટનાની જાણ થતાં, તેમને તાત્કાલિક સેક્ટર 16ની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

એડીજીપી પૂરણ કુમાર હાલમાં સુનારિયાની પોલીસ ટ્રેનિંગ કોલેજમાં ફરજ બજાવી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ફોરેન્સિક ટીમ સાથે તેમના નિવાસસ્થાને પહોંચી હતી. પૂરણ કુમાર 2001ના આઈપીએસ અધિકારી છે.

અહેવાલો અનુસાર, IPS અધિકારીએ સોમવારે એક બંદૂકધારી પાસેથી બંદૂક ઉછીની લીધી હતી. મંગળવારે, જ્યારે પૂરણ કુમારની પુત્રી બેઝમેન્ટમાં આવી ત્યારે તે જમીન પર ઘાયલ અવસ્થામાં પડેલા હતા. આ ઘટના વિશે તેની પુત્રીએ જ લોકોને જાણ કરી હતી.

આપી ચૂક્યા છે મહત્વપૂર્ણ હોદાઓ પર સેવા
પૂરણ કુમાર હરિયાણા કેડરના એક આદરણીય IPS અધિકારી હતા અને તેમણે અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી હતી. તેમણે વારંવાર સરકાર સમક્ષ વિવિધ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ભૂતકાળમાં, તેમણે IPS અધિકારીઓની તૈનાતી અંગે સરકારને ફરિયાદ પણ કરી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

LPG ગ્રાહકો માટે મોટા સમાચાર: e-KYCની તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાઈ

દેશભરના ઘરેલુ LPG ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આધાર આધારિત e-KYC અને બાયોમેટ્રિક વેરિફિકેશન પૂર્ણ કરવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવવામાં આવી છે. અગાઉ 23 ઓગસ્ટ સુધીની સમયમર્યાદા હતી, જેને હવે 31 ઓગસ્ટ 2026 સુધી લંબાવવામાં આવી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી આ અંગે ડીલરોને જાણ કરવામાં આવી છે. ગ્રાહકોને છેલ્લી ઘડીની ભીડ અને મુશ્કેલીથી બચવા માટે સમયસર e-KYC પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. 31 ઓગસ્ટ છે નવી અંતિમ તારીખ જે ઘરેલુ LPG ગ્રાહકોની e-KYC પ્રક્રિયા હજુ બાકી છે, તેમના માટે 31 ઓગસ્ટ 2026 સુધીનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. અગાઉ આ પ્રક્રિયા માટે અલગ-અલગ સમયમર્યાદા જાહેર થયા બાદ તેને તબક્કાવાર લંબાવવામાં આવી હતી. હવે 31 ઓગસ્ટને અંતિમ સમયમર્યાદા તરીકે જણાવવામાં આવી રહી…

બિહાર : ભાગલપુરમાં ગંગા નદીમાં 21 શ્રમિકો સાથે બોટ પલટી : 19નો બચાવ, 2 લાપતા

બિહારના ભાગલપુર જિલ્લામાં બુધવારે ગંગા નદીમાં એક મોટી બોટ દુર્ઘટના સર્જાતા ખળભળાટ મચી ગયો હતો. નવગછિયા વિસ્તારમાં પૂર રાહત અને બચાવ કામગીરી માટે જઈ રહેલા 21 શ્રમિકોને લઈને જળ સંસાધન વિભાગની બોટ અચાનક તેજ પ્રવાહમાં પલટી ગઈ હતી. દુર્ઘટના બાદ રાહત અને બચાવ ટીમો તાત્કાલિક સક્રિય થઈ હતી. અત્યાર સુધીમાં 19 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બે શ્રમિકો હજુ પણ લાપતા છે. SDRFના ગોતાખોરો દ્વારા બંને લાપતા શ્રમિકોની શોધખોળ માટે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બપોરે 2:30 વાગ્યે બની બોટ દુર્ઘટના મળતી માહિતી પ્રમાણે, નવગછિયાના રાઘોપુર વિસ્તારમાં પાળ તૂટ્યા બાદ પૂર રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે જળ સંસાધન વિભાગ સાથે જોડાયેલા શ્રમિકો બોટ મારફતે અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *