તમિલનાડુમાં ભારે દુર્ઘટના, ચેન્નાઈમાં નિર્માણાધીન આર્ચ તૂટવાથી 9 શ્રમિકોની મોત, 10 વધુ ઈજાગ્રસ્ત

તમિલનાડુના ઉત્તર ચેન્નાઈમાં થર્મલ પાવર સ્ટેશન (એનોર)ના બાંધકામ સ્થળે મંગળવારે એક ભારે દુર્ઘટના બની છે. ત્યાં 30 ફૂટ ઊંચી નિર્માણાધીન આર્ચ(કમાન) અચાનક તૂટી પડી હતી, જેના કારણે 9 શ્રમિકોની ઘટના સ્થળે જ મોત થઇ ગઈ અને 10થી વધુ ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાના કારણે ઘટનાસ્થળે અફરાતફરી ફેલાઈ ગઈ હતી. અનેક શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા, જેમને મુશ્કેલીથી બચાવવામાં આવ્યા.

આ ઘટનાની વિગતો મુજબ, મૃતકોનો પોસ્ટમોર્ટમ માટે સ્ટેનલી હોસ્પિટલમાં દફતર કરવામાં આવ્યો છે. એક ઈજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું નોંધાયું છે. પોલીસ કમિશનરે આ ઇમારતના ભાગ તૂટી પડવાના કારણની તપાસ શરૂ કરી છે. બચાવકાર્ય અને તપાસ ચાલુ છે.

તમિલનાડુ વિદ્યુત બોર્ડના સચિવ ડૉ. જે. રાધાકૃષ્ણે જણાવ્યુ કે સ્થળ પર કુલ 3700 શ્રમિક કામ કરી રહ્યા હતા અને સુરક્ષા અધિકારીઓ દ્વારા ઘટના સ્થળની તપાસ કરવામાં આવી રહી છે. ગંભીર ઈજાગ્રસ્તોને તાત્કાલિક ચિકિત્સા માટે સ્ટેનલી સરકારી હોસ્પિટલ લઈ જવાયા છે.

પોલીસ કમિશનરે કહ્યું કે, દુર્ઘટનાનું કારણ હજુ નક્કી કરાયું નથી અને બચાવ કાર્ય ચાલુ છે. ફેબ્રુઆરીમાં પણ મદુરાઈમાં કમાન તૂટી પડવાથી એક મૃત્યુ અને ઈજાઓ થવાની ઘટના ઘટી હતી, જેને લઇને હવે વધુ કડક સુરક્ષા પગલાં લેવા માટે દબાણ વધી રહ્યું છે.

Related Posts

સોનું તોડશે તમામ રેકોર્ડ? $6,000 પ્રતિ ઔન્સ સુધી પહોંચી શકે ભાવ

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો માટે સુરક્ષિત રોકાણ ગણાતા સોનાને લઈને એક મોટી આગાહી સામે આવી છે. વિશ્વની અગ્રણી નાણાકીય સંસ્થાએ દાવો કર્યો છે કે વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં…

‘લોકતંત્રની તાકાતે ચા વાળાને વડાપ્રધાન બનાવ્યો’: પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધતા PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન કરતાં ભારતના લોકતંત્રની શક્તિ, વિકાસયાત્રા અને વૈશ્વિક સ્તરે દેશની વધતી પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતના લોકતંત્રની સૌથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *