ગૃહ મંત્રાલયે કેમ આપ્યો મોકડ્રીલનો આદેશ? જાણો 1971ની મોકડ્રીલમાં શું થયું હતું

22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અનેક ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી. આ બેઠકોના પરિણામે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7 મેના રોજ દેશભરના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજવાનું નક્કી કર્યું છે.

ભારતમાં છેલ્લી મોકડ્રીલ વર્ષ 1971માં યોજાઇ હતી. અને હવે દેશના 244 જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજાશે. વર્ષ 1971 માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું , ત્યારે ભારતમાં આટલી વ્યાપક મોક ડ્રીલ યોજાઈ હતી. તે સમયે મોકડ્રીલ યુદ્ધ દરમિયાન નાગરિક સલામતી સુનિશ્ચિત કરવા માટે યોજવામાં આવી હતી. હવે આ મોક ડ્રીલમાં, હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે, બ્લેકઆઉટ લાગુ કરવામાં આવશે અને સામાન્ય લોકોને હુમલાની સ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે શીખવવામાં આવશે. આનો અર્થ એ થયો કે શાળાઓ, ઓફિસો અને ઘરોમાં રહેતા નાગરિકોને શીખવવામાં આવશે કે જોખમના કિસ્સામાં ક્યાં છુપાવવું, કેવી રીતે સતર્ક રહેવું અને કઈ બાબતો પોતાને બચાવવામાં મદદ કરી શકે છે. આ તૈયારી કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં જાન અને માલનું નુકસાન ઓછામાં ઓછું કરવાનો પ્રયાસ છે. આ સમય દરમિયાન ભારત હવે મોકડ્રીલ દ્વારા તેની આંતરિક તૈયારીઓનું પરીક્ષણ કરવા જઈ રહ્યું છે.

મોક ડ્રીલમાં આ મહત્વપૂર્ણ પાસાઓનું પરીક્ષણ કરવામાં આવશે
આ મોક ડ્રીલ માત્ર ઔપચારિકતા નથી. પરંતુ ઘણા મહત્વપૂર્ણ પાસાઓનું પરીક્ષણ કરવાનો એક માર્ગ છે. આમાં મુખ્ય છે હવાઈ હુમલાની ચેતવણી પ્રણાલીની અસરકારકતાનું મૂલ્યાંકન. ભારતીય વાયુસેના સાથે હોટલાઇન અને રેડિયો સંચાર લિંક્સની કાર્યક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવશે જેથી કટોકટીની સ્થિતિમાં સંદેશાવ્યવહાર ખોરવાઈ ન જાય. કંટ્રોલ રૂમ અને શેડો કંટ્રોલ રૂમની કાર્યકારી ક્ષમતાનું પણ પરીક્ષણ કરવામાં આવશે. નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને પ્રતિકૂળ હુમલાઓ દરમિયાન સલામતીના પગલાં વિશે શિક્ષિત કરવા અને તેમને નાગરિક સંરક્ષણ અંગે તાલીમ આપવા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

 

Related Posts

CM ભુપેન્દ્ર પટેલ ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. જવા રવાના….

CM ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત ડેલિગેશન સાન ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. રવાના -> ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન અમેરિકાના પ્રવાસના મહત્વપૂર્ણ તબક્કા તરીકે સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરીને બુધવાર, 19 ઓગસ્ટ 2026ના રોજ વોશિંગ્ટન D.C. જવા રવાના થયું છે. સાન ફ્રાન્સિસ્કોમાં વિવિધ ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકો બાદ હવે ગુજરાત ડેલિગેશનનો આગળનો તબક્કો વોશિંગ્ટન D.C.માં શરૂ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેમણે પોતાના અમેરિકા પ્રવાસના મહત્વના ચરણ રૂપે સેન ફ્રાન્સિસ્કો (San Francisco) ખાતેનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે અને હવે તેઓ આગામી બેઠકો અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે વોશિંગ્ટન ડી.સી. (Washington D.C.) જવા રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજી,…

IAS તુકારામ મુંઢે છે કોણ ? હાલ માં તેઓ ખુબ ચર્ચા માં છે જાણો…

IAS તુકારામ મુંઢે કોણ છે? ‘સિંઘમ’ તરીકે જાણીતા અધિકારીની કહાની, 21 વર્ષમાં અનેક ટ્રાન્સફર છતાં કામ કરવાની અલગ ઓળખ -> IAS : ભારતીય વહીવટી સેવાના અધિકારી તુકારામ હરીભાઉ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષા અને ભેળસેળ સામે ચાલી રહેલી કડક કાર્યવાહીને કારણે તેઓ હાલ સમાચારોમાં છવાયેલા છે. કડક નિર્ણયો, નિયમોના પાલન પર ભાર અને નિડર વહીવટી શૈલીને કારણે તેમને ઘણીવાર ‘સિંઘમ IAS’ તરીકે ઓળખવામાં આવે છે. દેશના સૌથી ચર્ચિત, ઈમાનદાર અને પોતાના કડક નિર્ણયો માટે જાણીતા IAS ઓફિસર તુકારામ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર સોશિયલ મીડિયા અને મીડિયાની હેડલાઇન્સમાં છવાયેલા છે. જ્યારે પણ કોઈ સિનિયર IAS ઓફિસરની વાત આવે અને તેમાં ‘પ્રામાણિકતા’, ‘જનહિત’ અને ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ’ જેવા શબ્દો જોડાય, ત્યારે તુકારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *