જૂનાગઢમાં ગેસ ગળતરથી બે શ્રમિકોના કરૂણ મોત, મકાનમાલિક સારવાર હેઠળ

જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર ગેસ ગળતરની દુર્ઘટનાએ હાહાકાર મચાવ્યો છે. ભેંસાણ તાલુકાના રામપુર ગામે સેફ્ટી ટેંક સાફ કરી રહ્યાં હતાં ત્યારે ઝેરી ગેસના ગળતરથી બે શ્રમિકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ઘટનામાં મકાનમાલિક પણ ઝેરી અસરથી બેફામ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ધર્મેન્દ્ર કુબાવતના ઘરની અંદર આવેલ સેફ્ટી ટેંક સાફ કરવા માટે બે શ્રમિકો ઉતર્યા હતાં. આ દરમિયાન અચાનક ગેસ ગળતર થયું હતું. પહેલા શ્રમિકને અસર થતા બીજો શ્રમિક તેની મદદ માટે ટેંકમાં ઉતર્યો, પરંતુ તે પણ બેફામ થઇ ગયો. ત્યારબાદ ત્રીજો વ્યક્તિ ટેંકમાં ઊતરતા તે પણ બેફામ થયો.

અજાણતાં ગેસના સંસર્ગમાં આવતા એક પછી એક ત્રણ લોકો બેફામ થઇ જતા આસપાસના લોકો દોડી આવ્યા અને તમામને બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ તબીબોએ બે શ્રમિકોને મૃત જાહેર કર્યા, જ્યારે મકાનમાલિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની સારવાર ચાલી રહી છે.

Related Posts

સોમનાથમાં દરિયાઈ દુર્ઘટના: ઊંચા મોજાંમાં 3 યાત્રિકો ડૂબ્યા, 2 નો બચાવ, 1 લાપત્તા

સોમનાથ મંદિર ખાતે દરિયાકિનારે એક દુઃખદ ઘટના સામે આવી છે. મહારાષ્ટ્રના સોલાપુરથી આવેલા યાત્રિકોમાંથી ત્રણ લોકો અચાનક આવેલા ઊંચા મોજાંની ઝપટે ચડી જતા દરિયામાં ગરકાવ થયા હતા. જેમાંથી બે યાત્રિકોને…

ગુજરાતમાં ગરમી વચ્ચે હવામાન પલટાશે! આ જિલ્લાઓમાં બે દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાનમાં અચાનક મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *