રાજ્યમાં ઉનાળા દરમિયાન નહીં પડે પીવાના પાણીની અછત ! રાજ્ય સરકારે તૈયાર કર્યો આ પ્લાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન નાગરિકોને સરળતાથી પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થાય તે માટેના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રી એ આ હેતુસર પાણી પુરવઠા વિભાગ, જળ સંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેયના સંકલનથી લોકોને પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવાના દિશા નિર્દેશો આપ્યા હતા.

મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં રાજ્યના જળાશયોની હાલની સ્થિતિ તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટેની કામગીરીનું વિવરણ આપવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લા પર ફોકસ
આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હાલ 62 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, સરદાર સરોવર ડેમ સહિત કુલ 207 જળાશયોમાં 14,269.73 મિલિયન ઘન મીટર પાણી સંગ્રહિત થયેલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને કચ્છ જિલ્લામાં પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન થાય તેને ધ્યાને લઈને ટપ્પર ડેમમાં વર્ષ દરમિયાન જરૂરિયાત પ્રમાણે નર્મદા કેનાલથી પાણી ભરવા અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પૂરતા પ્રમાણમાં નર્મદા જળ ઉપલબ્ધ કરાવવા અંગે સરદાર સરોવર નર્મદા નિગમને જણાવ્યું હતું.

જાણો શું છે સ્થિતિ
રાજયના કુલ 18152 ગામો/ 292 શહેરો પૈકી 15720 ગામો/ 251 શહેરોને 372 જેટલી જુથ યોજનાઓ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. જેમાં 10,659 ગામો/ 190 શહેરોને નર્મદા આધારીત યોજનાથી તેમજ 5061 ગામો તથા 61 શહેરોને અન્ય ડેમ આધારીત યોજનાથી પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે તેની વિગતો પાણી પુરવઠા વિભાગે પુરી પાડી હતી. આ ઉપરાંત પાણી પુરવઠાની સ્થિતિ પર દેખરેખ રાખવા માટે ગાંધીનગરમાં 26 x 7 કંટ્રોલ રૂમ અને 1916 ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. તેની અને હેન્ડ પંપ રિપેરીંગ માટે 119 જેટલી ટીમો નિયુક્ત કરવામાં આવી છે તેની વિગતો અગ્ર સચિવ મતી શાહમીના હુસેને આ બેઠકમાં આપી હતી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

અમદાવાદમાં જીમમાં SMCની રેડ બાદ PI અને PSI સસ્પેન્ડ જાણો સમગ્ર જાણકારી… Major Breakthrough, 26

અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી: PI અને PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ ઝડપાયા  અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દરિયાપુર પોલીસ સ્ટેશનના PI અને સર્વેલન્સ સ્ક્વોડના PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીએ પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવ્યો છે. મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારના અડ્ડા પર SMCની રેડ દરમિયાન 187 જેટલા જુગારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી અને સ્થાનિક સ્તરે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે અનેક સવાલો ઉઠ્યા છે.મામલો ગંભીર બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જવાબદારી નક્કી કરીને દરિયાપુર પોલીસ સ્ટેશનના PI તેમજ સર્વેલન્સ સ્ક્વોડના PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. SMCની રેડથી પોલીસ…

Questions Over Child Rights & Poverty In Gujarat 2026: “ભૂખ્યા ભજન ન થાય”… તો ભૂખ્યા બાળકનું Empowered Youth શિક્ષણ કેવી રીતે થશે?

આઝાદીના 79 વર્ષ પૂર્ણ થવાના આરે પણ બાળમજૂરીની વાસ્તવિકતા દેશભક્તિના પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા બાળકોએ વ્યવસ્થાને પૂછ્યો સવાલ “ભૂખ્યા ભજન ન થાય” — Gujaratની આ કહેવત માત્ર શબ્દો નથી, પરંતુ જીવનની એક કડવી વાસ્તવિકતા છે. પેટની ભૂખ સામે ભક્તિ હોય કે દેશભક્તિ, માણસ માટે સૌથી પહેલાં જીવનની મૂળભૂત જરૂરિયાતો મહત્વની બની જાય છે. 15 ઓગસ્ટ 2026ના રોજ ભારત તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દેશ આઝાદ થયાને 79 વર્ષ પૂર્ણ થશે. આ દિવસ દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો દિવસ છે. પરંતુ આ જ પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા એક બાળકનું દૃશ્ય અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સ્વતંત્રતા દિવસ પહેલાં રસ્તા પર તિરંગા વહેંચતા એક બાળકને સ્વતંત્રતા દિવસ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *