મેહુલ ચોકસીને ભારત લાવવા માટે CBI અને EDએ શરૂ કરી તૈયારીઓ, 6 અધિકારીઓ જશે બેલ્જિયમ

બેલ્જિયમમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની ધરપકડ બાદ ભારતીય એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. કોર્ટમાં મેહુલ ચોકસીની સુનાવણી પહેલા ED અને CBI બેલ્જિયમ જવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, CBI અને ED એ બેલ્જિયમ જતા અધિકારીઓની યાદી તૈયાર કરી છે. આ અધિકારીઓ ટૂંક સમયમાં જઈ શકે છે. CBI અને EDના કહેવા પર મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, તે સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

પ્રત્યાર્પણની વિનંતી બાદ 12 એપ્રિલે ચોક્સીની ધરપકડ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, CBI અને EDના ત્રણ-ત્રણ અધિકારીઓને બેલ્જિયમ મોકલવામાં આવશે. તેમની પસંદગી પછી પેપર્સ તૈયાર કરવામાં આવશે. એવી શક્યતા છે કે ચોક્સી પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કરશે.

તબીબી આધાર પર માંગ્યા જામીન
સોમવારે જ ચોકસીના વકીલે કહ્યું હતું કે તેઓ બેલ્જિયમમાં તેમની ધરપકડ સામે અરજી દાખલ કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ચોકસી બ્લડ કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં, તેને તબીબી આધાર પર જામીન મળવા જોઈએ. તેમણે કહ્યું કે આરોપી કેન્સરથી પીડિત છે અને તેની સારવાર ચાલી રહી છે. “અમે બેલ્જિયમમાં તેમની ધરપકડ સામે અપીલ દાખલ કરવાની પ્રક્રિયામાં છીએ. તેમની જામીન પર મુક્તિ માટેની અમારી અપીલ મુખ્યત્વે આ આધાર પર હશે કે તેમની તબીબી સ્થિતિ સ્થિર નથી અને તેઓ કેન્સરની સારવાર લઈ રહ્યા છે .

તેમણે વધુમાં કહ્યું, “અમે એવી પણ દલીલ કરીશું કે હીરાના વેપારીના ભાગી જવાનું કોઈ જોખમ નથી.” તેમણે કહ્યું કે કેસની સુનાવણી પાંચ દિવસ પછી જ થઈ શકે છે, ત્યારબાદ તેઓ જામીન માટે અપીલ દાખલ કરશે. ચોક્સી 2018 માં ભારત છોડ્યા પછી એન્ટિગુઆમાં રહેતો હતો અને તેણે ભારતીય નાગરિકતા જાળવી રાખીને કેરેબિયન દેશની નાગરિકતા લીધી હોવાનું કહેવાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા તેમની વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ “પાછી ખેંચી” લેવામાં આવી હતી અને ત્યારથી ભારતીય એજન્સીઓ તેમને પ્રત્યાર્પણ દ્વારા ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારત અને બેલ્જિયમ વચ્ચે લાંબા સમયથી પ્રત્યાર્પણ સંધિ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

રાશિફળ/01 ફેબ્રુઆરી 2026: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

નેશનલ હાઇવે નં. 48 પર બસનો ભીષણ અકસ્માત : ડ્રાઇવરનું મોત; ચાર ગંભીર

અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ નેશનલ હાઇવે નં. 48 પર નડિયાદ નજીક ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *