હોળી પર રિલીઝ નહીં થાય ‘કેસરી ચેપ્ટર 2’, અક્ષય કુમાર અને અનન્યા પાંડેની ફિલ્મ મુલતવી રાખવામાં આવી

અક્ષય કુમાર, અનન્યા પાંડે અને આર. માધવન ટૂંક સમયમાં એક ફિલ્મમાં સાથે જોવા મળશે. આ જાહેરાત પછી, ચાહકોમાં આ ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ છે અને તેઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું નામ કેસરી ચેપ્ટર 2 છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સે તેના નિર્માણની જવાબદારી લીધી છે. આ ફિલ્મની વાર્તા વકીલ સી શંકરન નાયર પર આધારિત છે, જેમણે 1920 ના દાયકામાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બ્રિટિશ સામ્રાજ્ય સામે લડત આપી હતી.

ફિલ્મની રિલીઝ તારીખ થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટર પર આ માહિતી આપી હતી.આ ફિલ્મ હવે ગુડ ફ્રાઈડે નિમિત્તે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આનો અર્થ એ થયો કે આ ફિલ્મ ૧૮ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જોકે, નિર્માતાઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. અગાઉ આ ફિલ્મ ૧૪ માર્ચ, ૨૦૨૫ ના રોજ રિલીઝ થવાની હતી.

-> તરણ આદર્શે સોશિયલ મીડિયા પર માહિતી આપી :- તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરતા લખ્યું, “કેસરી ચેપ્ટર 2 – ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગની રિલીઝ તારીખ ફાઇનલ થઈ ગઈ છે… ધર્મા પ્રોડક્શન્સ, લીઓ મીડિયા કલેક્ટિવ અને કેપ ઓફ ગુડ ફિલ્મ્સ દ્વારા નિર્મિત… આ ફિલ્મ 18 એપ્રિલ 2025 ના રોજ રિલીઝ થશે… કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત… અક્ષય કુમાર, આર. માધવન અને અનન્યા પાંડે અભિનીત.

કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ રઘુ પલટ અને પુષ્પા પલટના પુસ્તક ‘ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર’ પર આધારિત છે. રઘુ પલટ સી શંકરનનો પૌત્ર છે. અહેવાલો અનુસાર, અક્ષય આ ફિલ્મમાં વકીલ સી શંકરન નાયરની ભૂમિકા ભજવશે. જોકે, અનન્યા અને માધવનની ભૂમિકાઓ વિશે હજુ સુધી વધુ માહિતી નથી. અનન્યા અને અક્ષય કુમાર પહેલી વાર સાથે કામ કરતા જોવા મળશે.

Related Posts

અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન…

આવતીકાલે ‘વર્લ્ડ રેડિયો ડે’ , જાણો આ વર્ષે કઈ થીમ પર થશે ઉજવણી ?

વર્લ્ડ રેડિયો ડે’: સ્ક્રીન વિના સંવાદ એટલે ‘રેડિયો’ ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે ઉજવાશે ‘રેડિયો ડે’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *